લોકસભા ચૂંટણીમાં વિપક્ષીઓ પર ભારે પડનારા PM મોદીની તુલાદાન વિધિ યોજાતા આટલા કિલો કમળ જોખાયા

|

Jun 08, 2019 | 11:59 AM

કેરળના ત્રિશુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કૃષ્ણભક્તિ જોવા મળી છે. ત્રિશૂરમાં આવેલા ગુરૂવાયુર મંદિરમાં વડાપ્રધાને પૂજા-અર્ચના કરી હતી. પાંચ હજાર વર્ષ જૂના આ મંદિરમાં દર્શન કરવા તેઓ પારંપરિક વેશભૂષામાં સજ્જ થઈને પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન મોદીને 112 કિલો કમળના ફૂલોથી તોલીને તુલાદાન વિધિ પણ કરવામાં આવી. મહત્વનું છે કે વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે પણ […]

લોકસભા ચૂંટણીમાં વિપક્ષીઓ પર ભારે પડનારા PM મોદીની તુલાદાન વિધિ યોજાતા આટલા કિલો કમળ જોખાયા
PM Modi તુલાદાન વિધિ

Follow us on

કેરળના ત્રિશુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કૃષ્ણભક્તિ જોવા મળી છે. ત્રિશૂરમાં આવેલા ગુરૂવાયુર મંદિરમાં વડાપ્રધાને પૂજા-અર્ચના કરી હતી. પાંચ હજાર વર્ષ જૂના આ મંદિરમાં દર્શન કરવા તેઓ પારંપરિક વેશભૂષામાં સજ્જ થઈને પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન મોદીને 112 કિલો કમળના ફૂલોથી તોલીને તુલાદાન વિધિ પણ કરવામાં આવી. મહત્વનું છે કે વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે પણ તેમણે આ મંદિરમાં દર્શન કર્યા હતા. ગુરુવાયુરપ્પન મંદિરને દક્ષિણનું દ્વારકા પણ કહેવામાં આવે છે. જેને લઈને PM મોદીએ કહ્યું કે ગુજરાતના લોકોનો આ મંદિર સાથે ખાસ સંબંધ છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલે કરી આવી આગાહી, જુઓ VIDEO અને જાણો ગુજરાતમાં કેવું રહેશે ચોમાસુ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

 

ભગવાન શ્રીકૃષ્ણ આ મંદિરમાં બિરાજમાન છે. પૈરાણિક માન્યતા પ્રમાણે મંદિરનું નિર્માણ વૃહસ્પતિએ કર્યું હતું. મંદિર 5000 વર્ષ જૂનું છે અને 1638માં તેના અમુક હિસ્સાનું પુન:નિર્માણ કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે, આ મંદિરમાં હિન્દુઓ સિવાય અન્ય ધર્મના લોકો પ્રવેશ કરી શકતા નથી.

TV9 Gujarati

 

2008માં પણ ગુરુવાયુરપ્પન મંદિર આવ્યા હતા PM મોદી

અધિકારીઓની માહિતી મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક કલાક સુધી મંદિરમાં રહ્યા હતા. જ્યાં ઘી, લાલકેળા અને કમળના ફુલ સાથે તેમની તુલાભાર વિધિ કરવામાં આવી હતી. અગાઉ 2008માં પણ મોદી આ મંદિરમાં આવ્યા હતા. જ્યારે PM બીજી વખત ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા હતા. રવિવારથી મોદી પોતાના બીજી કાર્યકાળના પહેલા વિદેશ પ્રવાસ પર કેરળથી માલદીવ અને શ્રીલંકા રવાના થશે. તો પરત આવતા સમયે આંધ્ર પ્રદેશના તિરુપતિ મંદિરના ભગવાન વેંકટેશ્વર સ્વામીના દર્શન માટે જશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article