વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લખનઉના લોકભવનમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 25 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ કલમ 370, રામજન્મભૂમિના નિર્ણય અને નાગરિકતા સુધારો અધિનિયમ પર પણ વાત કરી હતી. યુપીમાં થયેલી હિંસા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે નાગરિકોએ તેમની જવાબદારી તેમજ અધિકાર પૂરા કરવા જોઈએ અને સંપત્તિને નુકસાન પહોંચાડવાનું ટાળવું જોઈએ.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
વડાપ્રધાને કહ્યું કે અટલ સિદ્ધિની ભૂમિથી હું યુપીના દરેક યુવાન નાગરિકને વિનંતી કરવા આવ્યો છું. આઝાદી બાદથી આપણે અધિકારો પર સૌથી વધુ ભાર મૂક્યો છે પરંતુ હવે સમયની આવશ્યકતા ફરજો પર ભાર મૂકવાની છે. યુપીમાં જે રીતે કેટલાક લોકોએ સીએએના વિરોધના નામે હિંસા કરી, તેઓએ સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું. એકવાર તેઓ પોતાને પૂછે કે શું તેમનો રસ્તો સાચો છે?
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં કલર કામ કરતા કારીગરને જીવતો સળગાવાયો
વધુમાં કહ્યું કે તેઓએ હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવાર વિશે વિચારવું જોઈએ. હું વિનંતી કરીશ કે નાગરિકોને માર્ગ-પરિવહન પ્રણાલીનો અધિકાર છે, તેને સુરક્ષિત રાખવી એ પણ તમારી જવાબદારી છે. અધિકાર અને જવાબદારીઓ સાથે રાખવી મહત્વપૂર્ણ છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]