પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi)આજે ઉત્તરપ્રદેશમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ના યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી. હોકીમાં ભારતને મળેલી જીતનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આજના યુવાનો વિજયના ગોલ કરી રહ્યા છે, જ્યારે કેટલાક રાજકારણીઓ સેલ્ફ ગોલ કરવામાં વ્યસ્ત છે.
જ્યારે દેશ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે, ત્યારે કેટલાક લોકો સંસદને (Parliament) રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. થોડા અઠવાડિયામાં આપણે જોયેલા રેકોર્ડમાં ભારતીયોની તાકાત અને સફળતા ચારે બાજુ દેખાય છે. ઉપરાંત જણાવ્યું હતું કે,સમગ્ર દેશ ઉત્સાહથી ઓલિમ્પિકમાં અભૂતપૂર્વ પ્રદર્શન જોઈ રહ્યો છે.વધુમાં જણાવ્યું કે,જેઓ માત્ર તેમની સ્થિતિ માટે ચિંતિત છે, તેઓ હવે ભારતને રોકી શકશે નહિ. દેશ રેન્ક નહીં પરંતુ મેડલ (Medal) જીતીને નવું ભારત વિશ્વ પર પ્રભુત્વ ધરાવે છે. નવા ભારતમાં આગળ વધવાનો માર્ગ પરિવાર દ્વારા નહીં, પણ મહેનતથી નક્કી થશે.
કેટલાક લોકો રાજકારણમાં વ્યસ્ત
વિપક્ષ પર પ્રહાર કરતા પીએમ મોદીએ (PM Modi) જણાવ્યું હતું કે, કેટલાક લોકો રાજનીતિ કરવામાં વ્યસ્ત છે.તેમને દેશની કોઈ ચિંતા નથી. આ લોકો તેમના રાજકીય સ્વાર્થ માટે સંસદનું અપમાન કરી રહ્યા છે. દેશ 100 વર્ષમાં આવેલા મોટા સંકટમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યો છે, જ્યારે આ લોકો સ્પર્ધામાં વ્યસ્ત છે. દેશના ભલાઈના કામને કેવી રીતે રોકી શકાય.
5 ઓગસ્ટ વિશેષ મહત્વ ધરાવે છે
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આજની 5 ઓગસ્ટની તારીખ ખૂબ જ ખાસ બની ગઈ છે. 2019માં 5 ઓગસ્ટના રોજ એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને વધુ મજબૂત કરવામાં આવી હતી. 5 ઓગસ્ટના રોજ જ કલમ 370 હટાવીને જમ્મુ -કાશ્મીરના (Jammu Kashmir) દરેક નાગરિકને દરેક અધિકાર અને દરેક સુવિધામાં સંપૂર્ણ સહભાગી બનાવવામાં આવ્યા હતા.ઉપરાંત એક વર્ષ પહેલા 5 મી ઓગસ્ટના રોજ ભારતીયોએ સેંકડો વર્ષો પછી ભવ્ય રામ મંદિરના નિર્માણ તરફ પ્રથમ પગલું ભર્યું. આજે, અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરનું ઝડપથી નિર્માણ થઈ રહ્યું છે અને આજે ઓલિમ્પિક મેદાન પર, દેશના યુવાનોએ હોકીનું પોતાનું ગૌરવ ફરીથી સ્થાપિત કરવા તરફ મોટી છલાંગ લગાવી છે.
4 દાયકા પછી સુવર્ણ ક્ષણ આવી
પીએમ મોદીએ જણાવ્યું હતુ કે, આ સુવર્ણ ક્ષણ લગભગ 4 દાયકા પછી આવી છે. હોકી જે આપણી રાષ્ટ્રીય ઓળખ રહી છે, આજે આપણા યુવાનોએ તે ગૌરવ પાછું મેળવવા માટે દેશને મોટી ભેટ આપી છે.
ભારત તાકાત સાથે કોરોના સામે લડી રહ્યું છે
પીએમ મોદીએ કહ્યું કે ભૂતકાળમાં આપણે અનુભવ કર્યો છે કે જ્યારે અગાઉ દેશ પર આટલું મોટું સંકટ આવ્યું હતું, ત્યારે દેશ ખરાબ રીતે હચમચી ગઈ હતી. પરંતુ આજે ભારત, ભારતનો દરેક નાગરિક આ મહામારી સામે સંપૂર્ણ તાકાતથી લડી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે આ કોરોના સમયગાળામાં પણ ભારતીયોનું સાહસ એક નવો દાખલો બનાવી રહ્યું છે.