West Bengal Election Result 2021: પીએમ મોદીએ બંગાળ જીત બદલ દીદીને આપ્યા અભિનંદન, કહ્યું કોરોનાને હરાવવા કરશે સંભવિત મદદ

|

May 02, 2021 | 9:28 PM

West Bengal Election Result 2021: પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે બંગાળની ચૂંટણીમાં જીતવા બદલ મમતા બેનર્જીને અભિનંદન. આ સાથે તેમણે કહ્યું હતું કે લોકોની આકાંક્ષાઓ પૂરી કરવા અને કોરોના રોગચાળાને પહોંચી વળવા કેન્દ્ર સરકાર પશ્ચિમ બંગાળ સરકારને તમામ શક્ય સહયોગ આપશે.

West Bengal Election Result 2021: પીએમ મોદીએ બંગાળ જીત બદલ દીદીને આપ્યા અભિનંદન, કહ્યું કોરોનાને હરાવવા કરશે સંભવિત મદદ
પીએમ મોદીએ બંગાળ જીત બદલ દીદીને આપ્યા અભિનંદન

Follow us on

West Bengal Election Result 2021:  દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું પરિણામ (Five State Assembly Election Result) લગભગ સ્પષ્ટ છે. બંગાળમાં ફરી એકવાર મમતા બેનર્જીની પાર્ટી ફરી એક વાર સત્તા પર પરત ફરી રહી છે, જ્યારે અસમમાં ફરી એક વખત ભાજપનો વિજય થયો છે. કેરળમાં પિનરાય વિજયન ફરી એક વખત વિજયી બન્યા છે. જ્યારે પીએમ મોદીએ સીએમ મમતા બેનર્જીને બંગાળની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે.

PM Modi એ ટ્વીટ કરીને કહ્યું છે કે બંગાળની ચૂંટણીમાં જીતવા બદલ મમતા બેનર્જીને અભિનંદન. આ સાથે તેમણે કહ્યું હતું કે લોકોની આકાંક્ષાઓ પૂરી કરવા અને કોરોના રોગચાળાને પહોંચી વળવા કેન્દ્ર સરકાર પશ્ચિમ બંગાળ સરકારને તમામ શક્ય સહયોગ આપશે.

આની સાથે PM Modi એ બંગાળની જનતાનો આભાર માન્યો અને કહ્યું કે તેઓ તેમના પક્ષને મત આપનારા તમામ લોકોનો આભાર માને છે. પીએમએ કહ્યું કે ભાજપને બંગાળમાં પહેલા કરતા વધારે બેઠકો મળી છે. ભાજપ સતત જનતાની સેવા કરવાનું ચાલુ રાખશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

વિજય બદલ  મુખ્યમંત્રી પિનરાય વિજયનને અભિનંદન
PM Modi એ કેરળના સીએમ પિનરાય વિજયન અને એલડીએફને પણ એક બીજી ટ્વીટ દ્વારા કેરળની ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે કેન્દ્ર અનેક મુદ્દાઓ પર રાજ્ય સરકાર સાથે કામ કરવાનું ચાલુ રાખશે. આની સાથે તેઓ કોરોના રોગચાળાને ઘટાડવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે. આ સાથે પીએમ મોદીએ કેરળમાં ભાજપને ટેકો આપનારા લોકો પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ પાર્ટીના કાર્યકરોના પ્રયત્નોની પ્રશંસા પણ કરી હતી. તેમણે કહ્યું કે, કાર્યકરો ગ્રાસ રુટ સ્તરે કામ કરવાનું ચાલુ રાખશે અને રાજ્યમાં પાર્ટીને વધુ મજબુત બનાવશે.

PM Modi એ  તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં જીતવા બદલ ડીએમકે વડા એમ કે સ્ટાલિનને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ તેમને અભિનંદન આપતાં કહ્યું કે કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય ઉન્નતિ, પ્રાદેશિક આકાંક્ષાઓ પૂર્ણ કરવા અને કોરોના રોગચાળાને હરાવવા માટે સાથે મળીને કામ કરશે.

તમારા સહકાર બદલ આભાર
પીએમએ એનડીએને સમર્થન આપવા માટે તમિલનાડુની જનતાનો આભાર પણ માન્યો. આ સાથે તેમણે રાજ્યના લોકોને ખાતરી આપી હતી કે કેન્દ્ર રાજ્યના કલ્યાણ માટે સતત કામ કરશે અને તમિલનાડુની ભવ્ય સંસ્કૃતિને આગળ વધારશે.

Published On - 9:13 pm, Sun, 2 May 21

Next Article