દેશના અર્થતંત્રને વેગ આપવા PM મોદી લઈ શકે છે મોટા નિર્ણય

|

Aug 19, 2019 | 7:58 AM

દેશની અર્થવ્યવસ્થા અને ખાસ કરીને કેટલાક ક્ષેત્રો મંદીમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે અર્થતંત્રને ફરી પાછી પાટા પર લાવવા તેમજ વેગવંતો બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂદ મોરચો સંભાળે તેવી શક્યતા છે. મોદી સરકાર ટૂંક સમયમાં મોટા નિર્ણય કરી શકે છે. પીએમઓના સૂત્રો પ્રમાણે ટેક્સમાં રાહત મળે તેવા અને લોકોની નોકરીઓ બચે તેવા નિર્ણયોની શરૂઆત સોમવારથી […]

દેશના અર્થતંત્રને વેગ આપવા PM મોદી લઈ શકે છે મોટા નિર્ણય

Follow us on

દેશની અર્થવ્યવસ્થા અને ખાસ કરીને કેટલાક ક્ષેત્રો મંદીમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે અર્થતંત્રને ફરી પાછી પાટા પર લાવવા તેમજ વેગવંતો બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂદ મોરચો સંભાળે તેવી શક્યતા છે. મોદી સરકાર ટૂંક સમયમાં મોટા નિર્ણય કરી શકે છે. પીએમઓના સૂત્રો પ્રમાણે ટેક્સમાં રાહત મળે તેવા અને લોકોની નોકરીઓ બચે તેવા નિર્ણયોની શરૂઆત સોમવારથી જ થઈ શકે છે. સંકટમાંથી પસાર થતા ક્ષેત્રોને પહેલા જ રાહતના પેકેજના સંકેત મળી ચૂક્યા છે, પરંતુ મોદી સરકાર માત્ર એટલાથી જ રોકાશે નહી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
સૂત્રો મુજબ આ નિર્ણયો એ પ્રકારે લેવામાં આવશે કે જેનાથી દેશને 5 ટ્રિલીયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં પણ આગળ અડચણ ન આવે. જે માટે દેશ અને વિદેશી રોકાણકારોને વિશ્વાસ વધે તે માટે વડાપ્રધાન સીધો સંવાદ પણ કરી શકે છે. ઉપરાંત સરકારી ખર્ચાઓમાં કાપ મૂકવા અંગે પણ નિર્ણય લઈ શકે તેવી શક્યતા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અર્થતંત્રને ફરી પાટે લાવવા સૌ પ્રથમ પ્રધાનો અને અધિકારીઓના બિનજરૂરી સુવિધાઓ અને રોજબરોજના ખર્ચાઓમાં કાપ મૂકવામાં આવશે. જો કે સરકારે એ પણ સ્પષ્ટ કર્યુ છે કે કલ્યાણકારી યોજનાઓના ફંડમાં કોઈ કાપ નહી મૂકવામાં આવે. અન્ય ઉપાયમાં સૌથી મોટો નિર્ણય ટેક્સ સુધારાને લગતો હોઈ શકે છે, જે અર્થતંત્રને વેગવાન બનાવવા એક્કારૂપ સાબિત થઈ શકે છે. તો નોકરીઓ બચાવવા માટે સરકાર મંદીમાંથી પસાર થતી કેટલીક ઈન્ડસ્ટ્રીઓને રાહત પેકેજ આપવાની પણ તૈયારી કરી રહ્યુ છે.

આ પણ વાંચો: ક્રિકેટના ઇતિહાસમાં બની પ્રથમ આવી ઘટના! 12 માં ખેલાડીએ બેટિંગ કરી બદલ્યું મેચનું પરિણામ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article