ત્રણ કૃષિ કાયદાઓ વિરૂદ્ધ પંજાબ, હરિયાણા સહિત અનેક રાજ્યોના ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. બધા વચ્ચે કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે ફરી એકવાર ખેડૂતોને વાતચીતનું આમંત્રણ આપ્યું છે. તોમરે કહ્યું કે સરકાર ખેડૂત સંગઠનો સાથે ચર્ચા કરવા માટે તૈયાર છે. જેથી કોઇ ઉકેલ લાવી શકાય. નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કે તેમણે ખેડૂત સંગઠનોને ત્રીજી ડિસેમ્બરે વાતચીત માટે આમંત્રણ આપ્યું છે. અને આશા છે કે ખેડૂત સંગઠનો આ બેઠકમાં જરૂર આવશે.
આ તરફ કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓને ચેતવણી આપી છે કે તેઓ પોતાના નામે રાજકારણ કરે, નહીં કે ખેડૂતોના નામે. અત્યારે જવાન ખેડૂતને મારતો હોય તેવો ફોટો ખૂબ વાયરલ થઇ રહ્યો છે, ત્યારે કૃષિ પ્રધાનનું કહેવું છે કે આવા ફોટાઓ થકી કોંગ્રેસ દુષ્પ્રચાર કરી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો