કાશ્મીરી અવરમાં પાકિસ્તાની લોકોને ભારે અસુવિધાનો સામનો કરવો પડ્યો. જે કાશ્મીરીઓ સાથે એકતા દર્શાવવા માટે પાકિસ્તાન સરકાર દ્વારા પ્રાયોજિત પ્રોગ્રામ હતો. પાકિસ્તાન સરકારે શુક્રવારે બપોરે 12.00 થી 12.30 ની વચ્ચે ‘કાશ્મીરી અવર’ નું આયોજન કર્યું હતું અને આ દરમિયાન ઓફિસ-હોસ્પિટલો બંધ કરી દીધી હતી. એટલું જ નહીં, વિરોધના પ્રચારને પરિપૂર્ણ કરવા માટે સરકારે ટ્રાફિક પણ બંધ કરી દીધો, જેના કારણે લોકોને ભારે તડકામાં અડધો કલાક રાહ જોવી પડી.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
કાશ્મીર અંગેના રાજદ્વારી મોરચા પર નિષ્ફળ થયા પછી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન નવી રણનીતિ અપનાવી રહ્યા છે. ઘણા પાકિસ્તાનીઓએ પણ સોશિયલ મીડિયા પર ‘કાશ્મીરી અવર’ અંગે નારાજગી વ્યક્ત કરી છે. પાકિસ્તાની પત્રકાર નાયલા ઈનાયતે એક વીડિયો શેર કર્યો છે જેમાં લોકો ટ્રાફિક બંધ થવાના મામલે ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. તેમણે વીડિયોના કેપ્શનમાં લખ્યું, “કાશ્મીરના નામે ટ્રાફિક ખોરવાય છે, લોકો પરેશાન છે, સરકાર કહેશે કે આનાથી તેમને શું મળ્યું?”
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ટ્રાફિકમાં ફસાયેલા એક પાકિસ્તાની ગુસ્સામાં કહે છે કે લોકોને રોકવાનો શું ફાયદો છે જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરથી પસાર થશે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સમાં G-7 બેઠકમાં ભાગ લીધા બાદ પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાંથી પસાર થયા હતા. ત્યારબાદ ઈમરાન ખાનના મંત્રીએ ભારત માટે હવાઈમથકને સંપૂર્ણપણે બંધ કરવાની ધમકી આપી હતી.
આ પણ વાંચો: અકસ્માતમાં મૃતક યુવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ ચાલુ કારમાં શું કરી રહ્યો છે યુવાન?
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]