પાકિસ્તાને ફરી ભારત માટે 3 આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્ર કર્યા બંધ

|

Aug 28, 2019 | 10:57 AM

પાકિસ્તાનની સિવિલ એવિએશન ઓથોરિટીએ બુધવારે કરાચી એરપોર્ટ સુધીની તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે 3 રૂટ બંધ કરી દીધા છે. પાકિસ્તાનના વિજ્ઞાન અને તકનીકી પ્રધાન ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે પાકિસ્તાન ભારતથી આવતા ટ્રાફિક માટે તેના હવાઈ ક્ષેત્ર સંપૂર્ણ રીતે બંધ કરી રહ્યું છે. ઉડ્ડયન ઓથોરિટી દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ એરમેનને આપવામાં આવી છે. તેમાં જણાવાયું […]

પાકિસ્તાને ફરી ભારત માટે 3 આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્ર કર્યા બંધ

Follow us on

પાકિસ્તાનની સિવિલ એવિએશન ઓથોરિટીએ બુધવારે કરાચી એરપોર્ટ સુધીની તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે 3 રૂટ બંધ કરી દીધા છે. પાકિસ્તાનના વિજ્ઞાન અને તકનીકી પ્રધાન ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે પાકિસ્તાન ભારતથી આવતા ટ્રાફિક માટે તેના હવાઈ ક્ષેત્ર સંપૂર્ણ રીતે બંધ કરી રહ્યું છે. ઉડ્ડયન ઓથોરિટી દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ એરમેનને આપવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે કરાચીની તમામ ફ્લાઇટ્સે 28 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી આ સુધારાને અનુસરવું પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેબિનેટની બેઠક દરમિયાન ઈમરાન ખાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રના ઉપયોગ અંગે વાંધો ઉઠાવ્યો હતો. મોદીએ 22 ઓગસ્ટના રોજ ફ્રાંસની યાત્રા માટે પાકિસ્તાનના હવાઇમથકનો ઉપયોગ કર્યો હતો. મંગળવારે મંત્રીમંડળને કહેવામાં આવ્યું કે તેમને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે કારણ કે તે વિસ્તારમાં કોઈ પ્રતિબંધ નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાને આ વર્ષે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યું છે. 26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેના દ્વારા બાલાકોટ હુમલા બાદ પણ તે સંપૂર્ણ રીતે બંધ કર્યું હતું. બંને દેશો વચ્ચે તાજેતરના તણાવની શરૂઆત 5 ઓગસ્ટથી થઈ હતી જ્યારે ભારતે કાશ્મીરને મળેલ વિશેષ દરજ્જો રદ્દ કર્યો હતો. 26 ઓગસ્ટના રોજ રાષ્ટ્રને સંબોધન કરતા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળ સરકાર દ્વારા કાશ્મીરને અપાયેલા વિશેષ દરજ્જાને નાબૂદ કરવાના પગલાને ઐતિહાસિક ભૂલ ગણાવી હતી.

આ પણ વાંચો: પાકિસ્તાનના ખાસ કમાન્ડો ભારત પર કરી રહ્યા છે હુમલાની તૈયારી!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article