પાકિસ્તાનને ફરી પોતાની ઓકાત બતાવી દીધી છે. નરેન્દ્ર મોદીના વિમાન માટે પાકિસ્તાને પોતાના એરસ્પેશના ઉપયોગની મનાઈ ફરમાવી દીધી છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમુદ કુરૈશી આ અંગેની જાણકારી ભારતીય હાઈ કમિશનને જાણકારી આપશે. PM મોદી સઉદી અરબના પ્રવાસ પર જશે જેના માટે પાકિસ્તાનના એરસ્પેસ પરથી પસાર થવાના હતા. પરંતુ હવે તેમની યાત્રા થોડી લાંબી થઈ જશે. માહિતી પ્રમાણે કાશ્મીરના મુદ્દે પાકિસ્તાન ભારત સાથે આ પ્રકારનું વર્તન કરી રહ્યું છે.
આ પણ વાંચોઃ દિવાળીના પર્વે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા
ત્રીજી વખત પાકિસ્તાન ભારતના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ સહિત કેન્દ્રીય પ્રધાનોના વિમાનને એરસ્પેસનો ઉપયોગ કરવા માટે મનાઈ કરી દેવાઈ છે. ગત મહિને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વિમાનને પણ એરસ્પેસના ઉપયોગ માટે બંધ કરી દીધુ હતું.
PM મોદી સોમવારે 28 ઓક્ટોબરે સઉદી અરબ જશે. જ્યાં બિઝનેશ ફોરમમાં ભાગ લેશે. એ સાથે સઉદીની ટોપ લીડરશિપ સાથે મુલાકાત કરશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો