સુત્રોના જણાવ્યા અનુસાર લોકસભા ચૂંટણી પૂરી થયા પછી વિપક્ષી પાર્ટીઓ રાષ્ટ્રપતિને મળવાની યોજના બનાવી રહી છે. વિપક્ષની યોજના છે કે તે લોકસભા ચૂંટણી પુરી થયા પછી રાષ્ટ્રપતિને એ વાત માટે મનાવવાનો પ્રયત્ન કરશે કે જો પૂર્ણ બહુમત ન મળે તો તે સૌથી મોટી પાર્ટી એટલે કે સિંગલ લાર્જેસ્ટ પાર્ટીને સરકાર બનાવવા માટે આમંત્રિત ના કરે.
કેન્દ્રમાં ભાજપ સરકારનો વિરોધ કરી રહેલી 21 રાજકીય પાર્ટીઓ એક સમર્થન પક્ષ પર હસ્તાક્ષર કરવાની યોજના બનાવી રહી છે. તેમનું કહેવું છે કે લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા પછી તે વૈકલ્પિક સરકાર બનાવવા માટે રાષ્ટ્રપતિને વિપક્ષી પાર્ટીઓ સમર્થનનો પત્ર આપવા માટે તૈયાર રહેશે.
આ પણ વાંચો: અનિલ અંબાણીની RCOM પર નાદારીની પ્રક્રિયા શરૂ, કંપની પર છે કરોડો રૂપિયાનું દેવુ
આ પગલું લેવાનું કારણ એ સુનિશ્ચિત કરવાનું છે કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે કોઈ પાર્ટીને, ક્ષેત્રીય દળો અને ગઠબંધનને તોડવાની તક ન આપે. આ પગલું ક્ષેત્રીય દળોમાં થતાં વિભાજનને રોકવા માટે છે. લોકસભા ચૂંટણીમાં 543 સીટ હોય છે. જેમાંથી બહુમત માટે 274 સીટની જરૂર હોય છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 282 સીટોની સાથે બહુમત મેળવ્યો હતો.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]