જૂનાગઢના માળિયાના જલંઘર ગામમાં રહેતા ભાણજીભાઈ ખીમાભાઈ દવેએ પોતાના દીકરા અને દીકરીના લગ્નની કંકોત્રીમાં કોંગ્રેસનો પંજો છપાવ્યો છે અને સાથે જ ‘ખેડૂતોનું હિત, કોંગ્રેસની જીત’ સ્લોગન છપાવ્યું છે.
છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લાની કુલ 9 સીટ્સમાંથી 8 કોંગ્રેસને મળી હતી અને ભાજપને માત્ર એક સીટ મળી હતી. પરંતુ હવે એવામાં આ પ્રકારની કંકોત્રી છપાતા તે હાલ ચર્ચાનો વિષય બની છે.
મહત્ત્વનું છે કે આ વિસ્તારમાં એમએસપી, પાક વીમો, ખેડૂતો પર વધી રહેલા દેવાના કારણે ખેડૂતોમાં ગુસ્સો અને નારાજગી છે. સરકાર પ્રત્યેની નારાજગી હવે કંકોત્રીમાં છપાવી રહ્યાં છે. જેનો સીધો અર્થ એ થાય છે કે આ પંથકમાં તે રાજકીય પાર્ટી સફળતાનો ડંકો વગાડી શકશે જે ખેડૂતોનું હિત સાચવશે.
[yop_poll id=1790]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]