નાગરિકતા સંશોધન બિલનો વિરોધ: આસામમાં ગોળી વાગવાથી 2 લોકોના મોત

|

Dec 12, 2019 | 5:01 PM

નાગરિકતા સંશોધન બિલ પર વિરોધ વકરી રહ્યો છે. ખાસ કરીને પૂર્વના રાજ્યોમાં આ બિલના ભારે પડઘા પડી રહ્યાં છે. અસમ, મેઘાલય અને ત્રિપુરામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને વિરોધ કરી રહ્યાં છે. હાઈવે જામ કરવામાં આવી રહ્યાં છે તો એરલાઈન્સને પણ અસર પડી રહી છે. કર્ફ્યુ લાદી દેવાયો હોવા છતાં ભારે વિરોધ પ્રદર્શન […]

નાગરિકતા સંશોધન બિલનો વિરોધ: આસામમાં ગોળી વાગવાથી 2 લોકોના મોત

Follow us on

નાગરિકતા સંશોધન બિલ પર વિરોધ વકરી રહ્યો છે. ખાસ કરીને પૂર્વના રાજ્યોમાં આ બિલના ભારે પડઘા પડી રહ્યાં છે. અસમ, મેઘાલય અને ત્રિપુરામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને વિરોધ કરી રહ્યાં છે. હાઈવે જામ કરવામાં આવી રહ્યાં છે તો એરલાઈન્સને પણ અસર પડી રહી છે. કર્ફ્યુ લાદી દેવાયો હોવા છતાં ભારે વિરોધ પ્રદર્શન સમી નથી રહ્યાં અને સુરક્ષા જવાનો સાથે ઘર્ષણ થઈ રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   એર-ઈન્ડિયાની 100 ટકા ભાગીદારીનું સરકાર કરશે વેચાણ, કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહે કરી જાહેરાત

સેનાની પાંચ ટુકડી અસમમાં તૈનાત કરવામાં આવી છે. એક ટુકડીમાં 70 જવાનો હોય છે. ઈન્ટરનેટ પર 48 કલાક સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અસમ, મિઝોરમ અને ત્રિપુરામાં શોર્ટ ટ્રેનો બંધ તો પેસેન્જર ટ્રેનોને રદ કરવામાં આવી છે. રેલવે પોલીસે નોર્થ ઈસ્ટમાં ધામા નાખ્યા છે જેના લીધે રેલવેની સંપત્તિને નુકસાન ન થાય.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

2 પ્રદર્શનકારીઓનું ફાયરિંગમાં મોત


વિરોધ પ્રદર્શનમાં ગોળીબાર થયા હોવાની ઘટના સામે આવી છે. તેમાં 2 લોકોના મોતની પુષ્ટી ગુવાહાટી મેડિકલ કોલેજ દ્વારા કરવામાં આવી છે. જે 2 લોકોને ગોળી વાગી હતી તેનું મોત ગુરુવારના રોજ થયું છે. બિલના વિરોધ પ્રદર્શનમાં લોકો પાછળ હટવાનું નામ નથી લઈ રહ્યાં. ગુવાહાટી પોલીસ કમિશનરની બદલી કરવામાં આવી છે અને તેમના બદલે દીપક કુમારને લાવવામાં આવ્યા છે. ગુવાહાટીમાં સેનાએ ફલેગમાર્ચ કરી છે તો મુખ્યમંત્રી સબાર્નગ સોનોવાલે શાંતિની અપીલ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:58 pm, Thu, 12 December 19

Next Article