બસપાના વડા માયાવતીના ભાઈની 400 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ જપ્ત

|

Jul 18, 2019 | 8:34 AM

આવકવેરા વિભાગે ગુરુવારે બેનામી સંપત્તિ સામે મોટી કાર્યવાહી કરી નોઇડામાં 400 કરોડ રૂપિયાના સંપત્તિ જપ્ત કરી છે. આ સંપત્તિ બસપાના વડા માયાવતીના ભાઈ આનંદ કુમાર અને તેમના પત્નીની છે. આવકવેરા વિભાગે નોઇડામાં 28 હજાર વર્ગ મીટર જમીન પણ સીલ કરી છે, જેની સરકારી કિંમત 400 કરોડ રૂપિયા જેટલી થાય છે. પરંતુ, જો બજાર ભાવની વાત […]

બસપાના વડા માયાવતીના ભાઈની 400 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ જપ્ત

Follow us on

આવકવેરા વિભાગે ગુરુવારે બેનામી સંપત્તિ સામે મોટી કાર્યવાહી કરી નોઇડામાં 400 કરોડ રૂપિયાના સંપત્તિ જપ્ત કરી છે. આ સંપત્તિ બસપાના વડા માયાવતીના ભાઈ આનંદ કુમાર અને તેમના પત્નીની છે. આવકવેરા વિભાગે નોઇડામાં 28 હજાર વર્ગ મીટર જમીન પણ સીલ કરી છે, જેની સરકારી કિંમત 400 કરોડ રૂપિયા જેટલી થાય છે. પરંતુ, જો બજાર ભાવની વાત હોય તો તેની કિંમત ઘણી વધારે થશે. આનંદ કુમાર વિરુદ્ધ બેનામી સંપત્તિની માહિતી મળી હતી ત્યારબાદ આવકવેરા વિભાગ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. ઇન્કમ ટેક્સ વિભાગના અનુસાર આનંદકુમારે દિલ્હીના વ્યવસાયી એસ.કે. જૈનના સહકારથી અનેક હજાર કરોડની બેનામી સંપત્તિ એકઠી કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

એક અહેવાલ મુજબ વર્ષ 2007 થી 2012 વચ્ચે આનંદકુમારની નેટવર્થ 7.5 કરોડ રૂપિયાથી વધીને 1,316 કરોડ રૂપિયા થઈ હતી. આનંદકુમાર પર આરોપ છે કે તેમણે બોગસ કંપનીઓ બનાવી અને અનેક હજાર કરોડની બેનામી સંપત્તિ ભેગી કરી છે. એક એ પણ આરોપ છે કે તેમણે નોટબંધી દરમિયાન આ જ બનાવટી કંપનીઓની માધ્યમથી કરોડો રૂપિયાની બદલી કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: Video: અયોધ્યા રામ મંદિર પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

હવે આગામી દિવસોમાં બસપાના ઉપાધ્યક્ષ આનંદકુમારની મુશ્કેલીઓ વધી શકે છે કારણ કે આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલ આ કાર્યવાહી પછી ઇ.ડી. પણ કાર્યવાહીની તૈયારીમાં છે. આનંદકુમાર પરની આ તપાસની કાર્યવાહી બસપાના વડા માયાવતી સુધી પણ પહોંચી શકે છે. વિધાનસભાની પેટા ચૂંટણી અને વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણી પહેલાં મેયાવતીની મુશ્કેલીઓ વધી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 8:32 am, Thu, 18 July 19

Next Article