PNB બેંકને ચૂનો લગાડનારા માસ્ટરમાઈન્ડ હીરાના વેપારી નીરવ મોદીના જપ્ત કરાયેલા વિવિધ 112 સામાનનની હરાજી કરવામાં આવશે. આ હરાજી ગુરુવારના રોજ કરવામાં આવશે અને તેનું આયોજન ઈડી અને સૈફરનઆર્ટ દ્વારા કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પંજાબ નેશનલ બેંકને હીરા વેપારી નીરવ મોદીએ 14 હજાર કરોડ રુપિયાનો ચૂનો લગાવ્યો હતો.
આ પણ વાંચો : કોરોના વાઈરસની ભરડામાં હવે લગભગ અડધું વિશ્વ, જાણો ક્યાં દેશમાં કેટલાં કેસ નોંધાયા?
હરાજીમાં મોંઘી ગાડીઓ, દૂલર્ભ ચિત્રો અને ઘડિયાળ જેવી 112 વસ્તુઓનો સમાવેશ થાય છે. નોટિલસ બ્રાંડ નામની ઘડિયાળ હીરાની બનેલી છે અને તેની કિંમત અંદાજે 70 લાખ ઉપજી આવે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત વૈભવી રોલ્સ રોયસ ગાડીમાંથી પણ અંદાજે 1 કરોડની આવક થઈ શકે છે. આમ સરકાર પોતાની વસૂલી તેમની વસ્તુઓ દ્વારા કરી રહી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો