જામનગર મનપા સંચાલિક ઢોરના ડબ્બામાં એક સાથે 10થી વધુ ઢોરના મોત નિપજતા ચકચાર મચી છે. દડિયા ગામે મનપા દ્વારા ચલાવાતા ઢોરના ડબ્બામાં ટપોટપ પશુઓના મોત થતા હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. વિપક્ષ કોર્પોરેટરે આક્ષેપ કર્યો કે ઢોરના ડબ્બામાં રાખવામાં આવતા પશુઓને પૂરતો ખોરાક ન મળતો હોવાથી તેમનું મોત નિપજી રહ્યુ છે. એટલુ જ નહિ, વિપક્ષ કોર્પોરેટરે વધુ આક્ષેપ કરતા કહ્યુ કે, દડિયા ગામના ઢોરના ડબ્બામાં દૈનિક સરેરાશ બે પશુઓના મોત નિપજી રહ્યા છે અને જાન્યુઆરીથી જૂન સુધીમાં જ અહીં 247 ઢોરના મોત થઈ ચૂક્યા છે. વિપક્ષ કોર્પોરેટરે એકાએક તપાસ કરતા ફરી એક સાથે 10થી વધુ ઢોર પણ મૃત હાલતમાં મળી આવ્યા હતા, જેને લઈ સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ગુજરાતના વાહન ચાલકો માટે આવ્યા સારા સમાચાર! જુઓ VIDEO
Published On - 8:27 am, Fri, 13 September 19