BUDGET 2019 : 2022 સુધી સૌને ઘર આપશે મોદી સરકાર, મોંઘવારીની કેડ ભાંગી, સરકારે દમ બતાવી બૅંકોને મજબૂત કરી
મોદી સરકારનું છેલ્લુ, પણ વચગાળાનું બજેટ આજે રજુ કરવામાં આવી રહ્યું છે. નાણા પ્રધાન પીયૂષ ગોયલે બજેટ રજૂ કરતા જાહેરાત કરી કે કેન્દ્ર સરકાર 2022 સુધી દરેક દેશવાસીને ઘર આપશે. તેમણે કહ્યું કે સરકારની પારદર્શક નીતિઓના પગલે મોંઘવારીની કેડ ભાંગી ગઈ છે. તેમણે કહ્યું કે પાંચ વર્ષમાં વડાપ્રધાન આવાસ યોજના હેઠળ 1.53 કરોડ મકાનો બનાવવામાં […]
મોદી સરકારનું છેલ્લુ, પણ વચગાળાનું બજેટ આજે રજુ કરવામાં આવી રહ્યું છે.
નાણા પ્રધાન પીયૂષ ગોયલે બજેટ રજૂ કરતા જાહેરાત કરી કે કેન્દ્ર સરકાર 2022 સુધી દરેક દેશવાસીને ઘર આપશે. તેમણે કહ્યું કે સરકારની પારદર્શક નીતિઓના પગલે મોંઘવારીની કેડ ભાંગી ગઈ છે. તેમણે કહ્યું કે પાંચ વર્ષમાં વડાપ્રધાન આવાસ યોજના હેઠળ 1.53 કરોડ મકાનો બનાવવામાં આવ્યા કે જે અગાઉના વર્ષો કરતા 5 ગણા વધુ છે.
નાણા પ્રધાને કહ્યું કે સરકારી બૅંકોને મજબૂત કરવા માટે સરકારે પૈસા આપ્યા. સરકારે પોતાની શક્તિનો ઉપયોગ કરી આરબીઆઈને નિર્દેશ આપ્યો કે તે બૅંકોની પરિસ્થિતિ સુધારે.
તેમણે કહ્યું કે ભારતમાં છેલ્લા 5 વર્ષોમાં વિદેશી રોકાણ વધ્યું.
[yop_poll id=”962″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]