હિંદુત્વના રસ્તા પર ઝડપથી આગળ વધી રહેલી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મુંબઈમાં બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘુસણખોરો સામે મોર્ચો કાઢ્યો. પાર્ટી પ્રમુખ રાજ ઠાકરેએ આ મોર્ચાનું નેતૃત્વ કર્યું. આ મોરચા પહેલા કાર્યકર્તાઓ રામ મંદિરમાં આરતી ઉતારી, તો છત્રપતિ શિવાજી મહારાજને દુગ્ધાભિષેક પણ કર્યો. અનેક કાર્યકર્તાઓ વેશભુષામાં જોવા મળ્યા તો કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો.
આ પણ વાંચોઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારીને લઈ વિવાદ, 24 કલાક પછી પણ આંકડા જાહેર નહીં!
મનસેનો આ મોર્ચો દક્ષિણ મુંબઈના ગિરગાવ ચોપાટી પાસે હિંદૂ જિમખાનાથી શરૂ થયો અને મેટ્રો થિયેટરથી સી.એસ.ટી સામે આઝાદ મેદાન સુધી જઈ જનસભા સાથે પૂર્ણ થયો. આ આયોજનને સફળ બનાવવા માટે MNSએ પુરી તાકાત લગાવી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો