મમતા બેનર્જીએ પીએમ મોદીને લખ્યો પત્ર, કરી ઑક્સીજન ટેન્ક અને કોવિડ દવા પર ટેક્સ માફીની માંગ

|

May 09, 2021 | 4:17 PM

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી Mamata Banerjee એ પીએમ મોદીને પત્ર લખીને કોરોના જંગ માટે જરૂરી દવાઓ અને ઉપકરણોની આયાત પર ટેક્સ છૂટની માંગ કરી છે. તેમણે પશ્ચિમ બંગાળ સહિત ભારતભરમાં આરોગ્યના માળખાને મજબૂત બનાવવા અને કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર માટે દવાઓ અને ઓક્સિજનનો પુરવઠો વધારવા પીએમ મોદીને માંગ કરી હતી.

મમતા બેનર્જીએ પીએમ મોદીને લખ્યો પત્ર, કરી ઑક્સીજન ટેન્ક અને કોવિડ દવા પર ટેક્સ માફીની માંગ
મમતા બેનર્જીએ પીએમ મોદીને લખ્યો પત્ર

Follow us on

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી Mamata Banerjee એ પીએમ મોદીને પત્ર લખીને કોરોના જંગ માટે જરૂરી દવાઓ અને ઉપકરણોની આયાત પર ટેક્સ છૂટની માંગ કરી છે. તેમણે પશ્ચિમ બંગાળ સહિત ભારતભરમાં આરોગ્યના માળખાને મજબૂત બનાવવા અને કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર માટે દવાઓ અને ઓક્સિજનનો પુરવઠો વધારવા પીએમ મોદીને માંગ કરી હતી.

Mamata Banerjee એ કહ્યું કે “સંસ્થાઓ, વ્યક્તિઓ અને સેવાભાવી સંસ્થાઓ ” દ્વારા ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ અને સિલિંડરોથી લઇને ક્રાયોજેનિક સ્ટોરેજ ટેન્કો અને કોવિડ -19 દવાઓ સુધીની સહાય આપવામાં આવી હતી. તેમણે કેન્દ્રને વિનંતી કરી કે આવી ચીજોને જીએસટી અને કસ્ટમ ડ્યુટીથી મુક્ત કરો જેથી ખાનગી સહાયને પ્રોત્સાહન મળી શકે.

કરમાંથી મુક્તિ સપ્લાયની સમસ્યાઓ દૂર કરવામાં મદદ થશે 

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

સીએમ Mamata Banerjee એ તેમના પત્રમાં લખ્યું છે કે , ઘણા દાતાઓ અને એજન્સીઓએ આ વસ્તુઓની ડ્યુટી અથવા એસજીએસટી અથવા સીજીએસટી અથવા આઈજીએસટી મુક્તિ માટે રાજ્ય સરકારનો સંપર્ક કર્યો છે. કેમ કે કર માળખું કેન્દ્રના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે, હું વિનંતી કરીશ. પુરવઠાની અડચણોને દૂર કરવામાં મદદ માટે આ ચીજોને જીએસટી, કસ્ટમ્સ અને અન્ય કરમાંથી મુક્તિ આપવામાં આવે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે,આ વસ્તુઓનું દાન તબીબી સંસાધનોની માંગ અને પુરવઠાની વિશાળ અંતરને પહોંચી વળવા રાજ્ય સરકારના પ્રયત્નોમાં મદદ કરશે.

મમતાના શપથ લીધા પછી પીએમ મોદીને આ ત્રીજો પત્ર

પશ્ચિમ બંગાળમાં બુધવારે ત્રીજી વાર સીએમ પદના શપથ લીધા બાદ મમતા બેનર્જીએ રાજ્યમાં કોવિડ કટોકટી અંગે પીએમ મોદીને આ ત્રીજો પત્ર લખ્યો છે. શુક્રવારે, તેમણે સંભવિત ઓક્સિજન સપ્લાય સંકટને લઇને એક પત્ર લખ્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે માંગ પહેલાથી જ દિવસ દીઠ 470 મેટ્રિક ટન સુધી પહોંચી ગઈ છે અને સાતથી આઠ દિવસમાં 550 એમટી થવાની ધારણા છે.

આઇજીએસટીએ કોવિડ રાહત સામગ્રી પર 30 જૂન સુધી માફ 

સોમવારે કેન્દ્રએ કહ્યું કે આઇજીએસટી 30 જૂન સુધી વિદેશથી કોવિડને લગતી રાહત સામગ્રી પર માફ કરી દીધી છે. બે અઠવાડિયા પહેલા કેન્દ્રએ ત્રણ મહિના માટે તાત્કાલિક અસરથી કોવિડ રસી, ઓક્સિજન અને ઓક્સિજન સંબંધિત ઉપકરણોની આયાત પર કસ્ટમ અને આરોગ્ય સેસ માફ કરવાની જાહેરાત કરી હતી.

Published On - 4:11 pm, Sun, 9 May 21

Next Article