રેલીમાં થપ્પડ પડ્યા બાદ દિલ્હી CM કેજરીવાલે કોની પર આરોપ લગાવ્યા?

|

May 05, 2019 | 11:15 AM

કેજરીવાલને એક રેલીમાં સુરેશ નામના વ્યક્તિએ થપ્પડ મારી દીધી હતી અને તે બાદ રાજનીતિ ગરમાઈ ગયી છે. આમ આદમી પાર્ટીના નેતાઓએ અમિત શાહ અને મોદી પર કેજરીવાલની હત્યા સુધીના આરોપ મુકી દીધા છે.  શનિવારના રોજ નવી દિલ્હીમાં કેજરીવાલ મોતીનગર ખાતે એક રેલી કરી રહ્યાં હતા. તેઓ ખુલ્લી જીપમાં રેલી કરી રહ્યાં હતા અને યુવકે જીપ […]

રેલીમાં થપ્પડ પડ્યા બાદ દિલ્હી CM કેજરીવાલે કોની પર આરોપ લગાવ્યા?

Follow us on

કેજરીવાલને એક રેલીમાં સુરેશ નામના વ્યક્તિએ થપ્પડ મારી દીધી હતી અને તે બાદ રાજનીતિ ગરમાઈ ગયી છે. આમ આદમી પાર્ટીના નેતાઓએ અમિત શાહ અને મોદી પર કેજરીવાલની હત્યા સુધીના આરોપ મુકી દીધા છે. 

શનિવારના રોજ નવી દિલ્હીમાં કેજરીવાલ મોતીનગર ખાતે એક રેલી કરી રહ્યાં હતા. તેઓ ખુલ્લી જીપમાં રેલી કરી રહ્યાં હતા અને યુવકે જીપ પર આવીને તેમને થપ્પડ મારી દીધી હતી. આ થપ્પડ બાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને થપ્પડ મારનાર વચ્ચે ઝપાઝપી થઈ હતી. અંતે પોલીસે તે વ્યક્તિની અટકાયત કરી હતી અને તેને મોતીનગર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં હાર્દિક બાદ દિલ્હીમાં પોતાના ઉમેદવારનો પ્રચાર કરતા અરવિંદ કેજરીવાલને ખુલ્લી જીપમાં થપ્પડ, કહ્યું કે આ રાજનૈતિક પાર્ટીના લોકોએ કર્યો હુમલો

 

કેજરીવાલ પર આ પહેલીવાર હુમલો નથી થયો અગાઉ 12 વખત વિવિધ પ્રકારે તેની પર હુમલા થઈ ચુક્યાં છે. તેમની પર સ્યાહી ફેકવી, મરચાની ભૂકી ફેકવી કે જાહેરમાં થપ્પડ મારવી તેવા બનાવો બન્યા છે. શનિવારની થપ્પડ મારવાની ઘટના બાદ આપના નેતાઓ ગુસ્સે ભરાયા હતા અને કહ્યું કે શું અમિત શાહ અને મોદી કેજરીવાલની હત્યા કરાવવા માગે છે? કેજરીવાલની સુરક્ષાને લઈને સવાલો તેમણે મોદી સરકાર સામે ઉભા કર્યા હતા.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

TV9 Gujarati

 

 

કેજરીવાલે પણ આ ઘટનાને લઈને પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ભાજપનો લોકો આમ આદમી પાર્ટીને સહન નથી કરી શકતા. ચાર વર્ષમાં આ લોકોએ આમ આદમી પાર્ટીને ખતમ કરવાની કોશિશ કરી છે. મારી પર 33 કેસ છે. મારી ઓફિસ અને ઘર પર છાપા માર્યા છે. અમારા 20 ધારાસભ્યો પર પણ કેસ કરાયા છે. મારા સગાવહાલાને પકડવામાં આવી રહ્યાં છે અને અમારા ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. અમને દબાવી દેવાની કોશિશ થઈ રહી છે.

તેમણે વધુમાં કહ્યું કે એક મુખ્યમંત્રી હોવા છતાં મારી પર હુમલો થયો. કાલે તમારી સાથે પણ આવું થઈ શકે છે. એવો મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે જે પણ મોદીની વિરુદ્ધ બોલશે તેને છોડવામાં આવશે નહીં.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article