કર્ણાટકમાં લાંબા સમયથી ચાલતી રાજકીય ખેંચતાણ પર આજે પૂર્ણવિરામ લાગી શકે છે. કુમારસ્વામી સરકાર આજે વિધાનસભામાં બહુમતી પુરવાર કરશે. જો કે વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાં પહેલાં સ્પીકર રમેશ કુમારે બળવાખોર ધારાસભ્યોને અયોગ્યતાના મુદ્દે નોટિસ મોકલી છે. સ્પીકરે ધારાસભ્યોને 23 જુલાઈએ 11 વાગ્યા સુધીમાં પોતાની ઓફિસમાં હાજર રહેવાનો આદેશ કર્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
વિશ્વાસ મત માટે આજે વોટિંગ થવાનું છે. આ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય નાગેન્દ્ર જેઓએ હાલમાં હાર્ટ સર્જરી કરાવી છે તેઓ આજે હાજર નહીં રહી શકે. જ્યારે કે સ્પીકરે આજે જ તમામ પ્રક્રિયા પૂર્ણ કરવાની આશા વ્યક્ત કરી છે. તો બીજી તરફ શક્તિ પરીક્ષણ પહેલા રાજકીય ઘટનાક્રમમાં નવો વળાંક આવ્યો છે. કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારે કહ્યું કે- સરકાર બચાવવા માટે JDS કોઈ પણ ત્યાગ કરવા માટે તૈયાર છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
એટલું જ નહીં એચડી કુમારસ્વામીની પાર્ટી કોંગ્રેસ તરફથી કોઈને મુખ્યમંત્રી બનાવવા માટે પણ તૈયાર છે. ડીકે શિવકુમારના જણાવ્યા મુજબ, JDSએ આ અંગે અમારા હાઈકમાન્ડને પણ જાણ કરી દીધી છે. જો કે સવાલ એ છે કે વિશ્વાસ મત પર મતદાન પહેલા ડીકે શિવકુમારનું આ નિવેદન શું સરકારને બચાવી શકશે. મહત્વનું છે કે- કર્ણાટક વિધાનસભામાં આજે વિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા થશે. કર્ણાટકના મુખ્યપ્રધાન એચ.ડી.કુમારસ્વામી પોતાની બહુમતી સાબિત કરવા માટે વિધાનસભા ગૃહમાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે. જેના મતદાન બાદ કોંગ્રેસ-જેડીએસની સરકાર ટકશે. કે સરકાર પડી જશે તે નક્કી થઈ જશે.
[yop_poll id=”1″]