જેએનયુ વિવાદને લઈને મોટો ખૂલાસો દિલ્હી પોલીસે જલદી કરી શકે છે. દિલ્હી પોલીસે નકાબધારીઓની ઓળખાણ કરી લીધી છે અને તે અંગે જલદી જાહેરાત થાય તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીની પ્રતિષ્ઠિત જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય ખાતે મારપીટ થઈ હતી અને તેમાં અંદાજે 34 વિદ્યાર્થીઓ-ટીચર્સને ઈજાઓ પહોંચી હતી.
જો કે દિલ્હી પોલીસે આ અંગે કોઈ નવો કેસ દાખલ કર્યો નથી. જેએનયુ પરિસરમાં ફી વધારાનો અઢી મહિનાથી વિરોધ ચાલી રહ્યો છે. અમુક વિદ્યાર્થીઓ શિયાળુ સત્રની પરીક્ષાઓનું રજિસ્ટ્રેશન કરવા માગે છે તેને લઈને બે મત પ્રવર્તી રહ્યાં છે. આ બાબતે જ વિવાદ થયો હતો અને ઓનલાઈન રજિસ્ટ્રેશન થાય તે સર્વરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ અંગે એફઆઈઆર આઈષા ઘોષ જે છાત્ર સંઘના નેતા છે તેમના પર દાખલ કરવામાં આવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
નકાબધારીઓ કોણ હતા અને તે કેવી રીતે અંદર આવ્યા?, શું આ નકાબધારીઓ જેએનયુના જ વિદ્યાર્થીઓ હતા કે બહારથી આવ્યા હતા? જો બહારથી આવ્યા હતા તો એબીવીપી કે લેફ્ટ સાથે સંબંધ છે કે નહીં તે અંગે સોશિયલ મીડિયામાં સવાલો ઉભા થઈ રહ્યાં છે. આ બાજુ દિલ્હી પોલીસ પર પણ ધીમી કાર્યવાહી કરવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. જો કે આ ઘટના બાદ એબીવીપી લેફ્ટ યૂનિટી પર તો લેફ્ટ યુનિટી એબીવીપી પર આક્ષેપ લગાવી રહી છે. હકીકત શું છે તે તો ક્રાઈમ બ્રાંચની તપાસ બાદ જ જાણી શકાશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 2:51 pm, Wed, 8 January 20