નર્મદા ડેમ હાલ ઐતિહાસિક સપાટીએ છે, જેથી ગુજરાત ડેમમાંથી સતત પાણી છોડી રહ્યુ છે, ત્યારે હવે આ પાણી છોડવા મુદ્દે ખુદ સીએમ રૂપાણીએ સ્પષ્ટતા કરવાનો વારો આવ્યો. સીએમ રૂપાણીએ કહ્યુ કે, નર્મદા ડેમમાંથી પાણી છોડવું તે અમારો અધિકાર છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જ કાર્યવાહી થઈ રહી છે, તેથી મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર આમાં રાજનીતિ ન કરે. એટલું જ નહિં સીએમ રૂપાણીએ એવી પણ સ્પષ્ટતા કરી કે, જો ડેમમાંથી પાણી ન છોડાય તો આસપાસના ગામોમાં આ પાણી ઘૂસી જાય તેવી સ્થિતિ ઉભી થશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ગુજરાતના વાહન ચાલકો માટે આવ્યા સારા સમાચાર! જુઓ VIDEO