રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ રાજીવ સાતવે કહ્યું – જો વૃક્ષોની ગણતરી થઇ શકે તો OBCની કેમ નહીં?

|

Mar 20, 2021 | 3:16 PM

રાજ્યસભામાં કોંગ્રેસના સભ્ય રાજીવ સાતવે ઓબીસીની વસ્તી ગણતરીમાં વિલંબનો મુદ્દો ઉઠાવ્યો હતો. સરકારને તેમણે કહ્યું કે, જો તે પ્રાણીઓ અને ઝાડની ગણતરી કરી શકાય છે તો ઓબીસીની કેમ નહીં?

રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ રાજીવ સાતવે કહ્યું - જો વૃક્ષોની ગણતરી થઇ શકે તો OBCની કેમ નહીં?
File Image

Follow us on

રાજ્યસભામાં કોંગ્રેસના સભ્ય રાજીવ સાતવે શુક્રવારે અન્ય પછાત વર્ગો (OBC) ની વસ્તી ગણતરીમાં વિલંબનો મુદ્દો ઉઠાવ્યો હતો. સરકારને ઠપકો આપતા તેમણે કહ્યું કે, જો તે પ્રાણીઓ અને ઝાડની ગણતરી કરી શકાય છે તો ઓબીસીની કેમ નહીં? તે જ સમયે ભાજપના સાંસદ સંજય શેઠે પણ સંસદમાં વસ્તી નિયંત્રણ કાયદો લાગુ કરવાની માંગ કરી હતી. તેમણે વધતી વસ્તીના મુદ્દાને દેશ માટે જોખમી ગણાવ્યો હતો. જાહેર છે કે લાંબા સમયથી વસ્તીગણતરીમાં ઓબીસી એટલે કે અન્ય પછાત વર્ગની વસ્તીની ગણતરીનો મુદ્દો ચાલતો આવે છે. આ મુદ્દા અંગે વાત કરતી વખતે કોંગ્રેસ સભ્ય રાજીવ સાતવે સરકાર પર સવાલો ઉભા કર્યા હતા અને ઓબીસી વર્ગોની વસ્તી ગણતરીની માંગ કરી હતી.

લાંબા સમયથી ઓબીસી વસ્તી ગણતરીની માંગ

આ મુદ્દો ઉઠાવતા કોંગ્રેસના રાજીવ સાતવે સરકાર પાસે વહેલી તકે ઓબીસી વસ્તી ગણતરી કરવા માંગ કરી હતી. તેમણે કહ્યું કે, લાંબા સમયથી ઓબીસી વસ્તી ગણતરીની માંગ કરવામાં આવી રહી છે અને ભાજપના દિવંગત નેતા ગોપીનાથ મુંડેએ પણ લોકસભામાં ઘણી વખત આ માંગણી ઉઠાવી હતી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

તેમણે કહ્યું કે, જ્યારે સરકાર પ્રાણીઓની ગણતરી કરી શકે છે, સરકાર વૃક્ષોની ગણતરી કરી શકે છે, તો પછી સમાજના આ મહત્વપૂર્ણ ઘટક ઓબીસીની ગણતરી કેમ કરી શકતી નથી? 2018 માં સરકારે આ ખાતરી આપી હતી. વર્ષ 2019 માં પણ સરકારે કહ્યું હતું કે, આપણે વસ્તી ગણતરીની દિશામાં જઈ રહ્યા છીએ અને હમણાં જ જોવા મળ્યું છે કે તેમાં ઓબીસી કોલમ દૂર કરવામાં આવી છે.

વધતી જતી વસ્તી ગંભીર સંકટ

શુક્રવારે લોકસભામાં ભાજપના સાંસદ સંજય શેઠે પણ વધતી વસ્તીને દેશની સામે ગંભીર સંકટ ગણાવ્યું હતું. તેમણે કેન્દ્ર સરકારને વસ્તી નિયંત્રણ કાયદો બનાવવા માંગ કરી હતી. ઝીરોઅવર દરમિયાન આ મુદ્દો ઉઠાવતા ભાજપના સાંસદ સંજય શેઠે કહ્યું હતું કે, દેશમાં વધતી વસ્તી એક મોટું સંકટ બની રહી છે. આવી સ્થિતિમાં સરકારે દેશમાં વસ્તી નિયંત્રણ કાયદો લાવવો જોઈએ.

તેમણે કહ્યું કે, બે બાળકો માટેના માપદંડનો અમલ થવો જોઈએ. જે લોકો આનો ભંગ કરે છે તેમને સરકારી સુવિધા ન મળવી જોઇએ અને ચૂંટણી લડી પણ લડવાની મનાઈ હોવી જોઈએ. આવી જોગવાઈ થવી જોઈએ.

Next Article