ચીનના સેલ્સમેન બની શ્રીલંકા પહોચ્યા Imran Khan, ખોટા ફાયદાઓ ગણાવી CPECમાં લંકાને ફસાવવાની ચાલ?

|

Feb 24, 2021 | 5:13 PM

શ્રીલંકા પહોંચેલા ઇમરાન CPECના બે મોઢે વખાણ કર્યા હતા પણ જયારે પોતાની ભૂલો પર વાત આવે ત્યારે મૌન ધારણ કરી લેતા હતા.

ચીનના સેલ્સમેન બની શ્રીલંકા પહોચ્યા Imran Khan, ખોટા ફાયદાઓ ગણાવી CPECમાં લંકાને ફસાવવાની ચાલ?
Imran khan in Shri lanka

Follow us on

પાકિસ્તાનના વડા પ્રધાન Imran Khan હાલમાં શ્રીલંકાની મુલાકાતે છે. શ્રીલંકાની મુલાકાતે પહોંચેલા ઇમરાન ખાન પણ ચીન સાથેના સંબંધોના ફાયદા ગણાવીને ત્યાં હાજર થયા. China Pakistan Economic Corridor (CPEC) માં લંકાને ફસાવવાનો પ્રયાસ કરતી વખતે તેના ખોટા વચનો પણ જોવા મળ્યા હતા. શ્રીલંકા પહોંચેલા ઇમરાન CPECના બે મોઢે વખાણ કર્યા હતા પણ જયારે પોતાની ભૂલો પર વાત આવે ત્યારે મૌન ધારણ કરી લેતા હતા.

ખુદ આતંકવાદને આશ્રય આપતું પાકિસ્તાને કહ્યું કે પાકિસ્તાન અને શ્રી લંકા આતંકવાદ સહીત ઘણી સમસ્યાઓનો સાથે સામનો કરી રહ્યું છે . પાકિસ્તાને 10 વર્ષ સુધી આતંકવાદનો સામનો કરી રહ્યું છે અને લગભગ 70000 લોકો માર્યા ગયા છે.

કોલંબોમાં શ્રીલંકાના તેના સમકક્ષ મહિન્દા રાજપક્ષે સાથે સંયુક્ત પ્રેસને સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન ચીનના બેલ્ટ એન્ડ રોડ પહેલનો ભાગ છે અને CPEC એ આ કાર્યક્રમનો મુખ્ય પ્રોજેક્ટ છે, જે જોડાણ અને વેપારની ઘણી તક આપે છે. વડા પ્રધાન ઇમરાન ખાને શ્રીલંકાને ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર દ્વારા મધ્ય એશિયા સુધીના વેપાર અને જોડાણ વધારવા માટેના માર્ગો અને માધ્યમો પર ભાર મૂક્યો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ઇમરાન ખાને કહ્યું કે અમે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે વ્યાપારિક સંબંધો વધારી શકીએ અને પૂર્વ દ્વારા આપેલી કનેક્ટિવિટીનો મહત્તમ લાભ મેળવી શકીએ તેવા ક્ષેત્રોની ચર્ચા કરી. ઇમરાન ખાને કહ્યું કે પાકિસ્તાને શ્રીલંકાને તેની ધરતીથી આતંકવાદ રોકવામાં મદદ કરવામાં ભાગ ભજવ્યો, જે વિકાસ અને પર્યટનને અડચણરૂપ હતું. તેમણે કહ્યું કે જો આતંકવાદ હોય તો કોઈ દેશ પ્રગતિ કરી શકે નહીં.

Next Article