West Bengal Election: બંગાળની ચૂંટણીમાં અમિત શાહનું એડીચોટીનું જોર, એક દિવસમાં 6 કાર્યક્રમ

|

Apr 11, 2021 | 11:47 AM

બંગાળની ચૂંટણીમાં અમિત શાહ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રવિવારે છ જાહેર કાર્યક્રમોને સંબોધિત કરશે. આ છ જાહેર કાર્યક્રમોમાંથી તે રાજ્યમાં ત્રણ રોડ શોને કરશે.

West Bengal Election: બંગાળની ચૂંટણીમાં અમિત શાહનું એડીચોટીનું જોર, એક દિવસમાં 6 કાર્યક્રમ
બંગાળમાં શાહનો ચૂંટણી પ્રચાર (Photo-PTI)

Follow us on

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રવિવારે ચૂંટણી રાજ્ય પશ્ચિમ બંગાળનામાં છ જાહેર કાર્યક્રમોને સંબોધિત કરશે. આ છ જાહેર કાર્યક્રમોમાંથી તે રાજ્યમાં ત્રણ રોડ શોને સંબોધિત કરશે. સૌ પ્રથમ અમિત શાહ બપોરે 12:20 વાગ્યે શાંતિપુરમાં એક રોડ શો કરશે. કાર્યક્રમની સમાપ્તિ પછી તેઓ બપોરે 1:30 કલાકે રાણાઘાટ દક્ષિણ ખાતે એક રોડ શો કરશે અને ત્યારબાદ બશીરહાટ દક્ષિણમાં બપોરે 3:40 કલાકે જાહેર સભાનું સંબોધન કરશે. ચોથો કાર્યક્રમ પનહારી ખાતે બપોરે 04:25 કલાકે એક રોડ શો હશે.

કેન્દ્રીય ગૃહમંત્રીના અંતિમ બે જાહેર કાર્યક્રમો ટાઉનહોલમાં બેઠકોના રૂપમાં હશે. તે સાંજે 5:30 કલાકે કમારટી ખાતે ટાઉનહોલમાં સભા કરશે. આ પછી સાંજે સાત વાગ્યે તેઓ રાજારહાટ ગોપાલપુરના બીજા એક ટાઉનહોલમાં બેઠક કરશે.

પાંચમા તબક્કા માટે 17 એપ્રિલના રોજ મતદાન

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચાર તબક્કામાં મતદાન યોજાયું છે અને હવે 17 મી એપ્રિલના રોજ પાંચમા તબક્કામાં છ જિલ્લાની 45 બેઠકો પર મતદાન થવાનું છે. આ તબક્કામાં ઉત્તરી 24 પરગણાની 16 બેઠકો, દાર્જિલિંગની તમામ પાંચ બેઠકો, નાદિયાની આઠ બેઠકો, પૂર્વ બર્ધમાનની આઠ બેઠકો, જલપાઇગુડીની તમામ સાત બેઠકો અને કૈલિમપોંગની એક બેઠક પર મતદાન થશે.

તે જ સમયે, છઠ્ઠા તબક્કાની વાત કરીએ તો બંગાળના ચાર જિલ્લાની 43 વિધાનસભા બેઠકો પર 22 એપ્રિલે મતદાન થવાનું છે. ઉત્તરી 24 પરગણાની 17 બેઠકો, પૂર્વ બર્ધમાનની આઠ બેઠકો, નાદિયાની નવ બેઠકો અને ઉત્તર દિનાજપુરની તમામ નવ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે.

સાતમા તબક્કામાં પાંચ જિલ્લાની 36 વિધાનસભા બેઠકો માટે એપ્રિલ 26ના રોજ મતદાન યોજાનાર છે. આ તબક્કામાં માલદાની છ બેઠકો, મુર્શિદાબાદની 11 બેઠકો, પશ્ચિમ બર્ધમાનની તમામ નવ બેઠકો, દક્ષિણ દિનાજપુરની તમામ છ બેઠકો અને કોલકાતા સાઉથની ચારેય બેઠકો માટે મતદાન યોજાશે.

2 મેના રોજ ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે

તે જ સમયે આઠમી એટલે કે છેલ્લા તબક્કામાં ચાર જિલ્લાઓની 35 બેઠકો પર 29 એપ્રિલે મતદાન થવાનું છે. આ પછી ભારતનું ચૂંટણી પંચ 2 મેના રોજ ચૂંટણીના પરિણામો જાહેર કરશે.

 

આ પણ વાંચો: દેશમાં કોરોના વાયરસ દરરોજ કેમ તોડે છે રેકોર્ડ? જાણો નિષ્ણાંતોએ આપ્યા કોરોના વધવાના કારણો

આપણ વાંચો: Tika Utsav: PM મોદીની અપીલ પર આજથી દેશભરમાં ‘ટીકા ઉત્સવ’ શરુ, વધુ રસીકરણ પર મુકાશે ભાર

Next Article