રાજ્યની 8 બેઠકોની પેટાચૂંટણીને લઈને ભાજપે સર્વે કરાવ્યો હોવાની વિગતો મળી રહી છે અને 8 બેઠક પૈકી ત્રણ બેઠક પર પક્ષની સ્થિતિ નબળી હોવાનું સર્વેમાં સામે આવ્યું છે. ધારી, મોરબી, કરજણ બેઠક પર સ્થિતિ નબળી હોવાનું આવ્યું સામે આવ્યા બાદ નબળી બેઠકો પર મોટા નેતાઓને પ્રચારની જવાબદારી સોંપાઈ છે. મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન, પ્રદેશ અધ્યક્ષ હવે […]
Follow us on
રાજ્યની 8 બેઠકોની પેટાચૂંટણીને લઈને ભાજપે સર્વે કરાવ્યો હોવાની વિગતો મળી રહી છે અને 8 બેઠક પૈકી ત્રણ બેઠક પર પક્ષની સ્થિતિ નબળી હોવાનું સર્વેમાં સામે આવ્યું છે. ધારી, મોરબી, કરજણ બેઠક પર સ્થિતિ નબળી હોવાનું આવ્યું સામે આવ્યા બાદ નબળી બેઠકો પર મોટા નેતાઓને પ્રચારની જવાબદારી સોંપાઈ છે. મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન, પ્રદેશ અધ્યક્ષ હવે પ્રચારની ધૂરા સંભાળશે. ધારી બેઠક માટે છેલ્લી ઘડીએ જીતુ વાઘાણીને પ્રચાર માટે લાવવામાં આવ્યા છે. જણાવવું રહ્યું કે ધનસુખ ભંડેરી સંભાળી રહ્યા છે ધારી બેઠકની જવાબદારી તો ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા કરજણ બેઠક જીતાડવા માટે સતત પ્રચાર કરી રહ્યા છે.