દિલ્હીના લાજપત નગર વિસ્તારમાં તમે જવાના હોય તમારે માસ્ક લગાવીને જવાની જરુર રહેશે નહીં. લાજપત નગરમાં વાયુ પ્રદૂષણને નાથવા માટે એક સ્મોગ ટાવર લગાવવામાં આવ્યો છે. જો કે મોટીવાત એ છે કે આ ટાવર કોઈ સરકારી મદદથી લગાવવામાં આવ્યો નથી. આ ટાવર એનજીઓ અને લાજપત નગરના સદસ્યો દ્વારા લગાવવામાં આવ્યો છે.
સ્મોગ ફ્રી ટાવરના લીધે લાજપત નગરના 750 મીટર વિસ્તારમાં પ્રદૂષણથી રાહત મળી શકે છે. જો એક દિવસની વાત કરીએ તો સ્મોગ ફ્રી ટાવર એક દિવસમાં 2,00,00થી 6,00,000 ક્યુબિક મીટર હવાને શુદ્ધ કરી શકાશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
દિલ્હીની હવાને લઈને સુપ્રીમ કોર્ટે પણ ગંભીર ટિપ્પણી કરી છે. આ અંગે શું થઈ શકે તે માટે રોડમેપ તૈયાર કરવા પણ જણાવવામાં આવ્યું છે. લાજપત નગર વિસ્તારમાં ટાવર લગાવવામાં સ્થાનિકો કહીં રહ્યાં છે કે સાંસદ ગૌતમ ગંભીરે મદદ કરી છે. આ ટાવર 20થી 30 ફૂટ ઉંચો હોય છે અને તે ઘરની છત પર અને જમીન પર લગાવી શકાય છે.
આ ટાવરને લગાવ્યા બાદ તેના મેન્ટેન્સની પાછળ એવું કહેવામાં આવી રહ્યું છે કે અંદાજે 30 હજારનો ખર્ચ આવશે. જે ખર્ચ લાજપત નગરના વેપારીઓ ઉઠાવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. હવાના પ્રદૂષિત કણ જેની સાઈઝ પીએમ 2.5 અને પીએમ 10 છે તેને શોષી લેવા આ સ્મોગ ફ્રી ટાવર સક્ષમ છે. જે વિસ્તારમાં આ ટાવર લગાવવામાં આવે છે તે વિસ્તારમાં લોકોનું આયુષ્ય 4 વર્ષ વધી જશે તેવો દાવો સ્મોગ ફ્રી ટાવર બનાવનારી કંપની દ્વારા કરવામાં આવ્યો છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]