મોટી આવક ધરાવતા 65 ટોલ પ્લાઝા પર ફાસ્ટેગને લઈને સરકારે કર્યો આ નિર્ણય, વાંચો વિગત

|

Jan 15, 2020 | 3:27 PM

ફાસ્ટેગની મુદત 15 જાન્યુઆરીની રાતથી પુરી થઈ રહી છે એનો અર્થ એવો થયો કે તમામ ગાડીઓમાં ફાસ્ટેગ લગાવવાનું ફરજિયાત કરાશે. જો કોઈ ગાડીમાં નહીં હોય તો તેમની પાસેથી ડબલ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. જો કે આ ડબલ ટોલ ટેક્સવાળી સરકારની નીતિ 65 ટોલનાકાઓ પર લાગુ નહીં પડે. જેમાં ગુજરાતનો પણ સમાવેશ થઈ રહ્યો છે. મોટેભાગે […]

મોટી આવક ધરાવતા 65 ટોલ પ્લાઝા પર ફાસ્ટેગને લઈને સરકારે કર્યો આ નિર્ણય, વાંચો વિગત

Follow us on

ફાસ્ટેગની મુદત 15 જાન્યુઆરીની રાતથી પુરી થઈ રહી છે એનો અર્થ એવો થયો કે તમામ ગાડીઓમાં ફાસ્ટેગ લગાવવાનું ફરજિયાત કરાશે. જો કોઈ ગાડીમાં નહીં હોય તો તેમની પાસેથી ડબલ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. જો કે આ ડબલ ટોલ ટેક્સવાળી સરકારની નીતિ 65 ટોલનાકાઓ પર લાગુ નહીં પડે. જેમાં ગુજરાતનો પણ સમાવેશ થઈ રહ્યો છે. મોટેભાગે 65 ટોલનાકાઓ ઉત્તરપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, ચંદીગઢ અને રાજસ્થાનના છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આ પણ વાંચો :   5 સ્ટેપ્સમાં FASTAGને BHIM એપથી આ રીતે કરો ઘરે બેઠા રિચાર્જ, વાંચો વિગત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જો કે આ ડબલ ટોલ ટેક્સમાંથી જે 65 ટોલનાકાઓ પર આપવામાં આવી રહી છે તે 30 દિવસ સુધી જ મર્યાદિત છે. ત્યાં સુધીમાં દરેક વાહનોમાં ફાસ્ટેગ લગાવવો ફરજિયાત બની જશે. ગુજરાતમાં ઘણાબધા ટોલનાકાઓ પર ફાસ્ટેગ જ કામ નથી કરી રહ્યાં અને તેના લીધે ટોલપ્લાઝાઓ પર વાહનોની મોટી કતારો લાગી રહી છે. લોકો આ ટેકનોલોજીના ઈશ્યુને લઈને રોષની લાગણી દાખવી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના આગ્રહ બાદ સરકારે 65 ટોલપ્લાઝાઓ પર મિક્સ બૂથ ચલાવવાનો નિર્ણય 30 દિવસ માટે લીધો છે. આમ વાહનોમાં ફાસ્ટેગ હશે તો પૈસા કપાઈ જશે અથવા તો મેન્યુલી રોકડ લઈને લોકો સફર કરી શકશે. જો કે આ નિર્ણય અસ્થાયી છે. જો કે આ તમામ 65 ટોલ પ્લાઝાઓ સરકારને એક મોટી કમાણી કરી આપે છે અને તેને લઈને સરકારે આ અસ્થાયી નિર્ણય લીધો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article