દિલ્હી હિંસાને લઈ કોંગ્રેસ વર્કીગ કમેટીની બેઠક આજે યોજાઈ હતી. બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ હાજર રહ્યા. બેઠકમાં હિંસા દરમિયાન મોત થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
બેઠક પછી મીડિયા સાથે વાતચીત કરતાં સોનિયા ગાંધીએ કહ્યું કે દિલ્હીની હાલની સ્થિતી ચિંતાજનક છે. એક ષડયંત્ર હેઠળ સ્થિતી બગડી, ભાજપ નેતાઓએ ભડકાઉ ભાષણ આપ્યા. ચૂંટણી દરમિયાન નફરત ફેલાવી. દિલ્હીની સ્થિતી માટે વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ જવાબદાર છે. ગૃહપ્રધાન અમિત શાહે રાજીનામું આપવું જોઈએ.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પૂછ્યુ કે રવિવારે ગૃહપ્રધાન અમિત શાહ ક્યાં હતા અને શું કરી રહ્યા હતા? હિંસાવાળી જગ્યા પર કેટલી પોલીસ ફોર્સ લાગી? બગડતી સ્થિતી પછી પણ સેનાને કેમ તૈનાત કરવામાં ના આવી? દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ શું કરી રહ્યા હતા?
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: દિલ્હી હિંસા પર સુપ્રીમ કોર્ટે પોલીસને લગાવી ફટકાર, આગામી સુનાવણી 23 માર્ચના રોજ થશે
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]