દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ આજે ‘કેજરીવાલની 10 ગેરંટી’ જાહેર કરી. તેને જાહેર કરતા મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે મારા તરફથી દિલ્હીની જનતાને 10 ગેરંટી આપવામાં આવી રહી છે. આ ગેરંટી કાર્ડમાં 10 વચન કરવામાં આવ્યા છે. જેમાં પાણી, ટ્રાન્સપોર્ટ અને વીજળી સહિત ઘણા મુદ્દા સામેલ છે.
Delhi: Aam Aadmi Party (AAP) launches 'Kejriwal Ka Guarantee Card' ahead of upcoming state Assembly elections. Chief Minister Arvind Kejriwal says,"In the coming 5 years we will ensure 24 hours drinking water supply to every household. Students will be given free bus services". pic.twitter.com/l8rFp2J5Qy
— Tv9 Gujarati (@tv9gujarati) January 19, 2020
કેજરીવાલ ગેરંટીકાર્ડમાં દરેક ઘરમાં પાણી, પ્રદુષણ મુક્ત શહેર, મહિલા સુરક્ષા, મફત વીજળી (200 યૂનિટ), ગેરકાયદેસર વસાહતો, મકાનો, જાહેર પરિવહન, શિક્ષણ, સ્વચ્છ દિલ્હી અને ઝૂંપડપટ્ટીઓ આવેલી શૌચાલયો માટે વચનો અપાયા છે. CM કેજરીવાલે કહ્યું કે આગામી 5 વર્ષની અંદર દિલ્હીની જનતાને એકદમ સાફ અને 24 કલાક પાણી મળશે. તેમને કહ્યું કે જે બાળક દિલ્હીમાં જન્મ લેશે, તેને 12 ધોરણ સુધીનું શિક્ષણ મફતમાં મળશે. નવી સ્કુલ ખોલવામાં આવશે અને વ્યવસ્થાને મજબૂત કરવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
હેલ્થના મુદ્દા પર મુખ્યપ્રધાન કેજરીવાલે કહ્યું કે દિલ્હીના દરેક પરિવારને મફત અને સારી સારવાર અમારી ગેરંટી છે. આ દિશામાં પણ સરકારે ઘણા પગલાં ઉઠાવ્યા છે. મોહલ્લા અને પોલી ક્લીનિક ખોલવામાં આવશે. સમગ્ર દિલ્હીમાં એવી વ્યવસ્થા બનાવીશું કે દિલ્હીના કોઈ પણ નાગરિકને સારામાં સારી સુવિધા મળે.
ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પર કેજરીવાલે કહ્યું કે 11 હજારથી વધારે બસ રસ્તા પર હશે. 500થી વધારે કિલોમીટરનો મેટ્રો રૂટ બનાવવામાં આવશે. તેમને કહ્યું કે મહિલાઓને જે ફ્રી બસ સેવા આપવામાં આવી રહી છે, તે ચાલુ રહેશે. તેમને કહ્યું કે અમે વિદ્યાર્થીઓને પણ ફ્રી ટ્રાન્સપોર્ટ આપીશું. ત્યારે 21 કરોડથી વધારે વૃક્ષ લગાવવામાં આવશે. માટીના ઉડે તેના માટે વેક્યૂમ ક્લિનિંગ કરાવીશું, આ પ્રક્રિયામાં યમુના પણ સાફ થશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
AAP ‘કેજરીવાલ ગેરંટી કાર્ડ’ની સાથે ડોર-ટૂ-ડોર કેમ્પેઈન કરશે અને લોકોને દિલ્હી સરકાર દ્વારા છેલ્લા 5 વર્ષમાં કરેલા કામ જણાવાશે. કેજરીવાલની પાર્ટીએ આ કાર્ડની સાથે દેશની રાજધાનીના 35 લાખ ઘર સુધી જવા અને તેમની સિદ્ધીઓ જણાવવાનો લક્ષ્ય રાખ્યો છે.
આ પણ વાંચો: IND vs AUS: ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ લીધી બેટિંગ, ભારતની ટીમ માટે આ સારા સમાચાર
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 9:30 am, Sun, 19 January 20