કોંગ્રેસના અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીએ રાજીનામું આપી દીધું છે. જે બાદ CWCની આજની બેઠકમાં સોનિયા ગાંધીને કાર્યકારી અધ્યક્ષ તરીકે જવાબદારી મળી છે. આજ સવારથી CWCની બેઠક ચાલી રહી હતી. અને રાત્રી સુધીમાં નવા અધ્યક્ષનું નામ જાહેર થશે તેવી પણ ચર્ચા હતી. રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું ત્યારે એક વાત પણ કહી હતી. રાહુલ કહ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ ગાંધી પરિવાર સિવાયના કોઈ વ્યક્તિને બનાવવામાં આવશે. જેને લઈને અનેક અટકળો ચાલી રહી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મુકુલ વાસનિકનું નામ ગઈકાલ સુધી રેસમાં આગળ ચાલી રહ્યું હતું. બેઠક બાદ રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, ખુદ કોંગ્રેસના નેતાઓએ સોનિયા ગાંધીને આ જવાબદારી સ્વીકારવા આગ્રહ કર્યો હતો. મુકુલ વાસનિક અને જ્યોતિરાદિત્ય સિંધિયાને અધ્યક્ષ બનાવવા બહુ ઓછા નેતાઓનું સમર્થન હતું. CWCની બેઠકમાં તમામ નેતાઓ એક સૂરમાં રાહુલ ગાંધી અથવા ગાંધી પરિવારના કોઈ સદસ્યને અધ્યક્ષ બનાવવાની માગણી કરી રહ્યા હતા.
તો બીજી તરફ રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે, બેઠકમાં સૌ પ્રથમ રાહુલ ગાંધીને અધ્યક્ષ બની રહેવા આગ્રહ કરાયો હતો. પણ રાહુલના અસ્વિકાર બાદ પ્રિયંકા ગાંધી અને જે બાદ સોનિયા ગાંધીને આ કામગીરી અપાઈ છે. જો કે સોનિયા ગાંધી કાર્યકારી અધ્યક્ષ છે. કોંગ્રેસના બંધારણ મુજબ આગામી ચૂંટણીમાં નવા અધ્યક્ષની નિમણૂક થઈ શકે છે. સુરજેવાલાએ સાથે એવું પણ કહ્યું કે, દેશની પરિસ્થિતિને લઈ કોંગ્રેસને માત્ર સોનિયા ગાંધી સંભાળી શકે છે. સોનિયા ગાંધીના લાંબા અનુભવથી આગામી રાજ્યોમાં ચૂંટણીની પણ રણનીતિ ઘડવામાં આવશે.
[yop_poll id=”1″]
માહિતી મુજબ રાહુલ ગાંધીએ બેઠકમાં કહ્યું કે, હું અધ્યક્ષ રહેવા માગતો નથી. હું પાર્ટી માટે પુરું કામ કરીશ અને દેશના ખુણે ખુણે કોંગ્રેસની વિચારધારાનો ફેલાવો કરીશ. હું અધ્યક્ષની જવાબદારી વગર વધારે સમય પાર્ટી માટે આપીશ
Published On - 6:18 pm, Sat, 10 August 19