રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા અને પિતા અનિરુધ્ધસિંહ જાડેજા કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. જામનગર લોકસભા બેઠક પર પ્રચાર કરવા આવેલા કોંગ્રેસના હાર્દિક પટેલની સભામાં જ બંને કોંગ્રેસમાં જોડાયા.
ટીવી9 ના રીપોર્ટર સાથે થયેલી વાતચીતમાં તેમને જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી ખેડૂતો, મહિલાઓ અને બેરોજગાર યુવાનો માટે અવાજ ઉઠાવી લડત કરી રહી છે. છેલ્લા 5 વર્ષમાં ભાજપ સરકાર નિષ્ફળ રહી છે જેમાં નોટબંધી અને GST મુખ્ય મુદ્દાઓ છે. આ ઉપરાંત ખેડૂતોને ખેતીમાંથી પૂરતું વળતર મળતું ન હોવાથી તેઓ આત્મહત્યા કરી રહ્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટીમાં તેઓ કોઈ લાલચથી નથી જોડાયા પરંતુ જો ભવિષ્યમાં પાર્ટી કહેશે તો જરૂરથી ચૂંટણી લડીશ. હાલમાં તો લોકસભાની ચૂંટણીમાં પ્રચાર-પ્રસાર કરવાનું જ મારૂ લક્ષ્ય છે.
આ નિર્ણય પર રવિન્દ્ર જાડેજાનું શું માનવું છે એના જવાબમાં જણાવ્યું કે ભાઇ છે તે તટસ્થ જ છે અને ઘરમાં બધાને પોત પોતાની સ્વતંત્રતા છે. હુ ભાઇને ક્યારેય ફોર્સ નહી કરુ કે તે મારા કે પાર્ટી માટે પ્રચાર કરે કે હુ એમનો કોઇ રાજકીય ઉપયોગ કરૂ.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 1:41 pm, Sun, 14 April 19