કોરોના વાઈરસ જેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે તેને લગતી કેટલીક અફવાઓ પણ તેટલા જ વેગે ફેલાઈ રહી છે. આવી જ અફવા આવી હતી કે કોરોનાને કારણે કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. જે મુજબ 14 માર્ચથી 21 માર્ચ સુધી તમામ શાળા, કોલેજો બંધ રાખવાનો આદેશ હતો અને આ આદેશનો અમલ ગુજરાતમાં પણ કરવાનો હતો. જો કે, આરોગ્ય વિભાગના નામે સામે આવેલી આ માર્ગદર્શિકા ખોટી છે. સોશિયલ મીડિયામાં આ પત્ર ફરતો થયો છે અને ગંભીરતાને જોતા જ કેન્દ્રના આરોગ્ય વિભાગે આ પત્ર ખોટો હોવાનો ખુલાસો કર્યો છે.
આ પણ વાંચો : કોરોના વાઈરસનો કહેર : સ્કૂલ-મોલ અને સિનેમાઘરો બંધ, જાણો 10 મોટા નિર્ણય વિશે
રાજ્યના આરોગ્ય વિભાગે પણ ગુજરાતમાં આવી કોઈ માર્ગદર્શિકા નહીં આવી હોવાની વાતને સમર્થન આપ્યું હતું. 21 માર્ચ સુધી કોઈ જ રજા જાહેર કરાઈ નથી. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ સ્પષ્ટતા કરી છે કે આ પત્ર તદ્દન ખોટો છે. વળી ગુજરાતમાં કોરોનાનો એક પણ કેસ પોઝિટીવ નોંધાયો નથી. જેથી શાળા, કોલેજો બંધ રાખવી કે, રજા જાહેર કરવાનો કોઈ સવાલ આવતો નથી. આરોગ્ય વિભાગે લોકોને આવા નકલી પત્રોથી ગેરમાર્ગે ન દોરાવા અપીલ કરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 3:20 pm, Fri, 13 March 20