Gujarati NewsPoliticsCongress says suspicious laser light on rahul gandhi face in amethi
રાહુલ ગાંધીના જીવને જોખમ? ચહેરા પર કોઈએ 7 વખત મારી લેસર લાઈટ, મામલો પહોંચ્યો ગૃહ મંત્રાલય
કોંગ્રેસ નેતા અહેમદ પટેલ અને રણદીપ સુરજેવાલે ગૃહમંત્રી રાજનાથ સિંહને પત્ર લખ્યો અને કહ્યું કે રાહુલ ગાંધી પર અમેઠીમાં શંકાસ્પદ લીલા રંગની લેસર લાઈટ મારવામાં આવી હતી. કોંગ્રેસે હુમલાની આશંકા વ્યક્ત કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સુરક્ષામાં છીંડા હોવાનો દાવો કરી ગૃહમંત્રી રાજનાથ સિંહને પત્ર લખ્યો છે. અહેમદ પટેલ, રણદીપ સુરજેવાલ અને જયરામ રમેશે […]
Follow us on
કોંગ્રેસ નેતા અહેમદ પટેલ અને રણદીપ સુરજેવાલે ગૃહમંત્રી રાજનાથ સિંહને પત્ર લખ્યો અને કહ્યું કે રાહુલ ગાંધી પર અમેઠીમાં શંકાસ્પદ લીલા રંગની લેસર લાઈટ મારવામાં આવી હતી. કોંગ્રેસે હુમલાની આશંકા વ્યક્ત કરી છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સુરક્ષામાં છીંડા હોવાનો દાવો કરી ગૃહમંત્રી રાજનાથ સિંહને પત્ર લખ્યો છે. અહેમદ પટેલ, રણદીપ સુરજેવાલ અને જયરામ રમેશે આ પત્રમાં લખ્યું છે કે, રાહુલ ગાંધી પર અમેઠીમાં લીલા રંગની લેસર લાઈટ મારવામાં આવી. કોંગ્રેસે આ પત્રમાં સ્નાઈપર ગનનો ઉલ્લેખ કર્યો અને સંભાવના વ્યક્ત કરી કે જે લાઈટ હતી તે સ્નાઈપરની છે. પત્રની સાથે એક વિડીયો પણ મોકલવામાં આવ્યો છે. સાથે જ પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીનો ઉલ્લેખ પણ કર્યો છે.