આજે કોંગ્રેસની ‘ભારત બચાવો’ રેલી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત તમામ નેતાઓ થશે શામેલ

|

Dec 14, 2019 | 3:42 AM

કોંગ્રેસ પાર્ટીએ મોદી સરકારને ઘેરવાની પૂરી તૈયારી કરી લીધી છે. પાર્ટી આર્થિક મંદી, ખેડૂત વિરોધી નીતિઓ, મહિલા હિંસા, બેરોજગારી અને બંધારણ પર હમલાને લઈ કેન્દ્ર સરકારની વિરૂદ્ધ આજે દિલ્હીના રામલીલા મેદાનમાં એક મોટી રેલી કરવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ આ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને પૂર્વ […]

આજે કોંગ્રેસની ભારત બચાવો રેલી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત તમામ નેતાઓ થશે શામેલ

Follow us on

કોંગ્રેસ પાર્ટીએ મોદી સરકારને ઘેરવાની પૂરી તૈયારી કરી લીધી છે. પાર્ટી આર્થિક મંદી, ખેડૂત વિરોધી નીતિઓ, મહિલા હિંસા, બેરોજગારી અને બંધારણ પર હમલાને લઈ કેન્દ્ર સરકારની વિરૂદ્ધ આજે દિલ્હીના રામલીલા મેદાનમાં એક મોટી રેલી કરવા જઈ રહી છે.

મળતી માહિતી મુજબ આ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સહિત કોંગ્રેસ શાસિત પ્રદેશના મુખ્યપ્રધાન અને કાર્યકર્તાઓ શામેલ થઈ રહ્યા છે. આ રેલીમાં ભાગ લેવા માટે દેશના ખુણેખુણેથી લાખો કોંગ્રેસ કાર્યકર્તાઓ રામલીલા મેદાન પહોંચી રહ્યા છે. દિલ્હીના રામલીલા મેદાનમાં આ રેલીને લઈ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ રેલીમાં કોંગ્રેસ નાગરિકતા સંશોધન કાયદાનો મુદ્દો પણ ઉઠાવશે અને મોદી સરકારને ઘેરવાના પ્રયત્નો કરશે. કોંગ્રેસે સંસદના બંને ગૃહમાં આ કાયદાનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ કાયદા દ્વારા ધર્મના આધાર પર દેશને વહેંચવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ કાયદાને સંસદમાંથી પાસ થવા પર તે દિવસને ઈતિહાસનો કાળો દિવસ ગણાવ્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કોંગ્રેસ પાર્ટીએ ‘ભારત બચાવો’ રેલીમાં શામેલ થવા માટે દેશભરમાંથી લોકોને રામલીલા મેદાન પહોંચવા માટે કહ્યું છે. કોંગ્રેસનો દાવો છે કે આ રેલી ઐતિહાસિક હશે. મોદી સરકાર અસલી મુદ્દાઓથી દેશની જનતાનું ધ્યાન ભટકાવવામાં લાગી છે પણ તે આ તમામ મુદ્દાઓને લઈ દેશમાં જનતાની વચ્ચે જશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article