કોરોના વાઈરસ દેશમાં સ્થાનિક રીતે ના ફેલાય તે માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં 15 એપ્રિલ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. લોકડાઉન 21 દિવસનું છે અને તેમાં લોકો ફક્ત જીવન જરુરિયાતની વસ્તુઓ લેવા માટે જ ઘરની બહાર નીકળી શકે છે.
વડાપ્રધાન મોદીએ વિવિધ રાજ્યોના સીએમ સાથે વીડિયો કોન્ફેંસિંગના માધ્યમથી ચર્ચા કરી હતી. આ ચર્ચા બાદ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ પેમા ખાંડુએ એક દાવો કર્યો જેની ભારે ચર્ચા થઈ રહી છે. પેમા ખાંડુએ ટ્વીટ કરીને લખ્યું કે લોકડાઉન 15 એપ્રિલના રોજ ખત્મ થઈ શકે છે. જો કે ટ્વીટ કર્યા બાદ તેઓએ તરત જ તેને હટાવી લીધું હતું અને બાદમાં સ્પષ્ટતા કરી હતી.
આ પણ વાંચો : વડોદરામાં કોરોના વાયરસથી પ્રથમ મોત, પરિવારના 4 સભ્યોને પણ કોરોના હોવાની પુષ્ટી
ટ્વીટમાં શું દાવો કરવામાં આવ્યો?
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
તેઓએ ટ્વીટમાં લખ્યું હતું કે લોકડાઉન 15 એપ્રિલના રોજ પુરું થઈ જશે. જો કે તેનો અર્થ એવો નથી કે લોકો રસ્તાઓ પર ફરવા આઝાદ થઈ જશે. કોરોના વાઈરસના અસરને ઓછી કરવા માટે દરેક લોકોએ જવાબદારી લેવી જોઈશે. લોકડાઉન અને સોશિયલ ડિસ્ટેંસિગ જ તેની સામે લડવાનો ઉપાય છે. આ ટ્વીટ ભારે વાઈરલ થઈ રહ્યું છે જો કે તેને ઓફિશીયલ ટ્વીટર હેન્ડલ પરથી એવો દાવો કરીને હટાવી લેવામાં આવ્યું છે કે ટ્વીટ કરનારા અધિકારીને ઓછું હિંદી આવડતું હતું. જેના લીધે ટ્વીટ હટાવવામાં આવ્યું.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 10:38 am, Thu, 2 April 20