CCDના માલિક વી.જી સિદ્ધાર્થ લાપતા, કંપની પર 3 હજાર કરોડની લોન, આ ભાજપ નેતાના છે જમાઈ

|

Jul 30, 2019 | 5:27 AM

પૂર્વ વિદેશ પ્રધાન અને ભાજપના નેતા એસએમ કૃષ્ણાના જમાઈ વીજી સિદ્ધાર્થ લાપતા થઈ ગયા છે. માહિતી અનુસાર કૈફે કોફી ડેના માલિક સિદ્ધાર્થી 29 જુલાઈના દિવસે મેંગ્લુરુ જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તા વચ્ચે જ તેઓ ગાડીમાંથી ઉતરીને વોકિંગ કરવા લાગ્યા હતા જે બાદથી તેઓ લાપતા છે. https://twitter.com/tv9gujarati/status/1156069273615233025?s=20 આ પણ વાંચોઃ પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાના પાર્થિવ […]

CCDના માલિક વી.જી સિદ્ધાર્થ લાપતા, કંપની પર 3 હજાર કરોડની લોન, આ ભાજપ નેતાના છે જમાઈ
ccd

Follow us on

પૂર્વ વિદેશ પ્રધાન અને ભાજપના નેતા એસએમ કૃષ્ણાના જમાઈ વીજી સિદ્ધાર્થ લાપતા થઈ ગયા છે. માહિતી અનુસાર કૈફે કોફી ડેના માલિક સિદ્ધાર્થી 29 જુલાઈના દિવસે મેંગ્લુરુ જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તા વચ્ચે જ તેઓ ગાડીમાંથી ઉતરીને વોકિંગ કરવા લાગ્યા હતા જે બાદથી તેઓ લાપતા છે.

https://twitter.com/tv9gujarati/status/1156069273615233025?s=20

આ પણ વાંચોઃ પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાના પાર્થિવ દેહને જામકંડોરણામાં અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો 

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

ગુમ થયા તેની કેટલીક મિનિટ પહેલા સિદ્ધાર્થે પોતાની કંપનીના CEO સાથે વાતચીત કરી હતી. પરંતુ સૌથી મહત્વની વાત છે કે, કોફી કૈફે ડે પર આશરે 3 હજાર કરોડ રૂપિયાની લોન છે. તો પોલીસની પ્રાથમિક શંકા મુજબ સિદ્ધાર્થે લોનના બોજને કારણે આપઘાત કરી લીધો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મેંગલુરુ પોલીસ કમિશનર સંદીપ પાટિલે જણાવ્યું છે કે, તેઓ સકલેશપુર જવાનું કહીને બેંગલુરુથી નીકળ્યા હતા. પરંતુ તેમણે નેત્રાવતી નદીના પૂલ પાસે ગાડી ઉભી રખાવીને નીચે ઉતરી ગયા હતા. અને ડ્રાઈવરને ત્યાંથી રવાના કરી દીધો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મોબાઈલ સ્વીચ ઓફ, નદીમાં તલાશ શરૂ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

પોતાની કંપનીના CEO સાથે વાત કર્યા બાદ સિદ્ધાર્થનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. ગુમ થવાની ઘટના બાદ એસએમ કૃષ્ણા સહિત તેમના પરિવારજનો ચિંતામાં છે. તો લાપતા સિદ્ધાર્થી શોધખોળમાં દક્ષિણ કન્નડ પોલીસ પણ કામે લાગી ગઈ છે. સિદ્ધાર્થ છેલ્લે જે જગ્યા પાસે ઉતર્યા હતા ત્યાં એક નદી છે. અને આ સ્થાન પર જ પોલીસ તપાસ કરી રહી છે. મુખ્યમંત્રી યેદિયુરપ્પા પણ એસએમ કૃષ્ણાના આવાસ પર પહોંચ્યા છે. તો કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર પણ હાજર છે.

[yop_poll id=”1″]

Published On - 5:13 am, Tue, 30 July 19

Next Article