પૂર્વ વિદેશ પ્રધાન અને ભાજપના નેતા એસએમ કૃષ્ણાના જમાઈ વીજી સિદ્ધાર્થ લાપતા થઈ ગયા છે. માહિતી અનુસાર કૈફે કોફી ડેના માલિક સિદ્ધાર્થી 29 જુલાઈના દિવસે મેંગ્લુરુ જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તા વચ્ચે જ તેઓ ગાડીમાંથી ઉતરીને વોકિંગ કરવા લાગ્યા હતા જે બાદથી તેઓ લાપતા છે.
https://twitter.com/tv9gujarati/status/1156069273615233025?s=20
ગુમ થયા તેની કેટલીક મિનિટ પહેલા સિદ્ધાર્થે પોતાની કંપનીના CEO સાથે વાતચીત કરી હતી. પરંતુ સૌથી મહત્વની વાત છે કે, કોફી કૈફે ડે પર આશરે 3 હજાર કરોડ રૂપિયાની લોન છે. તો પોલીસની પ્રાથમિક શંકા મુજબ સિદ્ધાર્થે લોનના બોજને કારણે આપઘાત કરી લીધો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
મેંગલુરુ પોલીસ કમિશનર સંદીપ પાટિલે જણાવ્યું છે કે, તેઓ સકલેશપુર જવાનું કહીને બેંગલુરુથી નીકળ્યા હતા. પરંતુ તેમણે નેત્રાવતી નદીના પૂલ પાસે ગાડી ઉભી રખાવીને નીચે ઉતરી ગયા હતા. અને ડ્રાઈવરને ત્યાંથી રવાના કરી દીધો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મોબાઈલ સ્વીચ ઓફ, નદીમાં તલાશ શરૂ
પોતાની કંપનીના CEO સાથે વાત કર્યા બાદ સિદ્ધાર્થનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. ગુમ થવાની ઘટના બાદ એસએમ કૃષ્ણા સહિત તેમના પરિવારજનો ચિંતામાં છે. તો લાપતા સિદ્ધાર્થી શોધખોળમાં દક્ષિણ કન્નડ પોલીસ પણ કામે લાગી ગઈ છે. સિદ્ધાર્થ છેલ્લે જે જગ્યા પાસે ઉતર્યા હતા ત્યાં એક નદી છે. અને આ સ્થાન પર જ પોલીસ તપાસ કરી રહી છે. મુખ્યમંત્રી યેદિયુરપ્પા પણ એસએમ કૃષ્ણાના આવાસ પર પહોંચ્યા છે. તો કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર પણ હાજર છે.
[yop_poll id=”1″]
Published On - 5:13 am, Tue, 30 July 19