પશ્ચિમ બંગાળમાં BJPનો માસ્ટરપ્લાન, બે અઠવાડિયામાં બે વાર PM MODI બંગાળનો પ્રવાસ કરશે

|

Feb 19, 2021 | 2:46 PM

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને લઈને PM MODI બે અઠવાડિયામાં બે વાર પશ્ચિમ બંગાળમાં પ્રચારમાં જોડાશે તેવું આયોજન BJP દ્વારા કરવામાં આવ્યું છે

પશ્ચિમ બંગાળમાં BJPનો માસ્ટરપ્લાન, બે અઠવાડિયામાં બે વાર PM MODI બંગાળનો પ્રવાસ કરશે

Follow us on

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને લઈને વિવિધ પાર્ટીઓનો પ્રચાર પુરજોશમાં શરૂ છે. ભારતીય જનતા પાર્ટી (BJP)આ વખતે બંગાળમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારમાં BJPએ વડાપ્રધાન મોદી દ્વારા પાર્ટીનો પ્રચાર કરવાનો માસ્ટર પ્લાન બનાવી લીધો છે. વડાપ્રધાન મોદી બે અઠવાડિયામાં બે વાર પશ્ચિમ બંગાળમાં પ્રચારમાં જોડાશે તેવું આયોજન BJP દ્વારા કરવામાં આવ્યું છે

PM MODIનોઆપારામાં મેટ્રો કોરિડોરને બતાવશે લીલી ઝંડી
પશ્ચિમ બંગાળમાં પ્રચાર માટે ભાજપના માસ્ટરપ્લાન મુજબ વડાપ્રધાન મોદી બે અઠવાડિયામાં બે વાર બંગાળનો પ્રવાસ કરશે. વડાપ્રધાન મોદી 22 ફેબ્રુઆરીએ નોઆપારાથી દક્ષિણેકેશ્વર સુધીના શહેરના ઉત્તર-દક્ષિણ મેટ્રો કોરિડોરને લીલી ઝંડી બતાવશે. આ જ દિવસે એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન મોદી હુગલીમાં એક જનસભામાં સંબોધન કરશે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

પરેડ ગ્રાઉન્ડમાં જનસભામાં સંબોધન કરશે PM MODI
7 માર્ચે વડાપ્રધાન મોદી બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં જનસભામાં સંબોધન કરશે એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આ જનસભા ભાજપાની પ્રચાર માટેની વિવિધ રથયાત્રાઓના એક સાથે સમાપન સમારોહના સ્વરૂપે યોજાશે. ભાજપાની આ પ્રચાર રથયાત્રાઓ 294 વિધાનસભા વિસ્તારોમાં ફરીને આવશે. એક ભાજપા નેતાએ કહ્યું કે રાજ્યના બધા વિસ્તારના નેતાઓને 7મી માર્ચ પહેલા તેમની રથયાત્રા પૂર્ણ કરવા કહેવામાં આવ્યું છે. રાજ્ય અને કેન્દ્રીય અને કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના ટોચના નેતાઓ સહિત ભાજપના કાર્યકરો બ્રિગેડ રેલીમાં ઉપસ્થિત રહેશે જ્યાં વડાપ્રધાન મોદી તેમને સંબોધન કરશે.

Next Article