મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્યસ સિંધિયાએ સત્તાની બાજી પલટી દીધી છે અને ભાજપમાંથી રાજયસભાની સીટ પણ મેળવી લીધી છે. આ બાજુ કમલનાથની સરકાર સંકટમાં ફસાઈ ગયી છે કારણ કે તેમની પાસે 94 ધારાસભ્યો જ છે. બહુમતનો આંકડો 104 છે અને તેના લીધે જો ફ્લોર ટેસ્ટ થાય તો કોંગ્રેસની સરકાર પડી શકે તેમ છે.
આ પણ વાંચો : ભારતમાં કોરોના વાઈરસના કેસોમાં સતત વધારો, અત્યાર સુધી 73 કેસ નોંધાયા
સિંધિયાએ લોકોની સેવાનું બહાનું ધરીને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે તો કોંગ્રેસે પાર્ટી વિરુદ્ધ પ્રવૃતિ ગણાવીને સિંધિયાની હકાલપટ્ટી કરી દીધી છે. આ બધાની વચ્ચે ભાજપના અધ્યક્ષ નરોત્તમ મિશ્રાએ 16 માર્ચના રોજ ફ્લોર ટેસ્ટની માગણી કરી છે અને તેને કોંગ્રેસે નકારી દીધી છે. મધ્યપ્રદેશમાં 16 માર્ચના રોજ બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. જો કે 22 ધારાસભ્યોના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. કોંગ્રેસની દલીલ છે કે તમામ ધારાસભ્યોએ રાજ્યપાલની સામે આવીને રાજીનામું આપવું જોઈએ.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે આક્ષેપ કર્યો છે તેમના ધારાસભ્યોને બંધક બનાવવામાં આવ્યા છે. તેમના મંત્રી જીતુ પટવારી અને લાખન સિંહની સાથે ગેરવર્તૂણક કરાઈ રહી છે. બેંગ્લુરુ ખાતે કોંગ્રેસના ધારાસભ્યોને સમજાવવા માટે જીતુ પટવારી પહોંચ્યા હતા અને ત્યાં પોલીસ સાથે ઘર્ષણ થતાં તેમની અટકાયત કરવામાં આવી હતી. આમ સિંધિયાના રાજીનામાંથી શરૂ થયેલી આ સત્તાની જંગ અંતે ફ્લોર ટેસ્ટ પછી જ અટકશે અને ત્યારબાદ જ ચિત્ર સ્પષ્ટ થશે કે કોંગ્રેસ સરકાર બચાવી શકશે કે નહીં?
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 11:23 am, Thu, 12 March 20