AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા બાદ સાધ્વી પ્રજ્ઞાએ માગી માફી, ચૂંટણી પંચે આ નિવેદનને લઈને મગાવ્યો અહેવાલ

સાધ્વી પ્રજ્ઞાએ મહાત્મા ગાંધીને ગોળી મારનાર નથૂરામ ગોડસેને પોતાના એક નિવેદનમાં દેશભક્ત ગણાવ્યો હતો. આ નિવેદનને લઈને તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે કારણ કે આ બાબતે ચૂંટણી પંચે અહેવાલ માગ્યો છે. https://youtu.be/lQ9OvUhgdGU ચૂંટણી પંચના ભોપાલના અધિકારી પાસે સાધ્વીના નથુરામ ગોડસે દેશભક્ત હોવાના નિવેદન બાબતે અહેવાલ માગ્યો છે. ચૂંટણી પંચે આ અહેવાલ શુક્રવાર સુધી પહોંચાડવાનું […]

નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા બાદ સાધ્વી પ્રજ્ઞાએ માગી માફી, ચૂંટણી પંચે આ નિવેદનને લઈને મગાવ્યો અહેવાલ
| Updated on: May 16, 2019 | 5:01 PM
Share

સાધ્વી પ્રજ્ઞાએ મહાત્મા ગાંધીને ગોળી મારનાર નથૂરામ ગોડસેને પોતાના એક નિવેદનમાં દેશભક્ત ગણાવ્યો હતો. આ નિવેદનને લઈને તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે કારણ કે આ બાબતે ચૂંટણી પંચે અહેવાલ માગ્યો છે.

https://youtu.be/lQ9OvUhgdGU

ચૂંટણી પંચના ભોપાલના અધિકારી પાસે સાધ્વીના નથુરામ ગોડસે દેશભક્ત હોવાના નિવેદન બાબતે અહેવાલ માગ્યો છે. ચૂંટણી પંચે આ અહેવાલ શુક્રવાર સુધી પહોંચાડવાનું પણ કહ્યું છે. સાધ્વી પ્રજ્ઞાએ મહાત્મા ગાંધીની હત્યા કરનારા નથુરામ ગોડસને દેશભક્ત ગણાવ્યો. તેમણે કહ્યું કે નથુરામ ગોડસે દેશભક્ત હતા, દેશભક્ત છે અને તે દેશભક્ત રહેશે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીની હંમેશા સાથે રહેતાં કાળા સુટકેસમાં શું હોય છે?

સાધ્વી પ્રજ્ઞાના આ નિવેદન બાદ રાજનીતિમાં ગરમાવો આવી ગયો હતો. ભાજપે પણ આ નિવેદનને લઈને પોતાનો બચાવ કરી લીધો હતો. ભાજપના પ્રવક્તાએ કહ્યું કે સાધ્વી પ્રજ્ઞાનું આ નિવેદન અંગત છે અને ભાજપ તેની સાથે સહમત નથી. અમિત શાહે પણ કહ્યું કે સાધ્વી પ્રજ્ઞાએ તે નિવેદનને લઈને માફી માગી લીધી છે. તેમણે વધુ ઉમેર્યું આ તેમના અંગત વિચાર છે અને તે બાબતે કશું કહી ન શકાય.

આ ઘટના બાદ કોંગ્રેસે પણ ભાજપ પર પ્રહારો કર્યા હતા અને સાધ્વીને મેદાનમાં ઉતાર્યા તેને લઈને સવાલો પણ કર્યા હતા. હવે જોવું એ રહ્યું કે ચૂંટણી પંચે અહેવાલ માગ્યો છો તો તેના પર કોઈ વિશેષ કાર્યવાહી કરાશે કે નહીં? આમ ચૂંટણી પંચના અહેવાલ માગવાથી સાધ્વી પ્રજ્ઞાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.

સાધ્વી પ્રજ્ઞાએ ગોડસેના નિવેદન બાબતે માફી માગીને કહ્યું કે જો મારા નિવેદનથી કોઈના મનમાં ઠેસ પહોંચી છે તો હું બિલકુલ માફી માગું છું. હું મહાત્મા ગાંધીનું સમ્માન કરું છું. તેમણે જે દેશ માટે કર્યું તે ભૂલી શકાય તેમ નથી. મીડિયા દ્વારા મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું.

ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
g clip-path="url(#clip0_868_265)">