ભાજપે ‘ઓપરેશન લોટસ’ની કરી શરુઆત, શું બચાવી શકશે મહારાષ્ટ્રમાં સરકાર?

|

Nov 24, 2019 | 1:41 PM

મહારાષ્ટ્રની રાજનીતિમાં વળાંક આવી જ રહ્યાં છે. શરદ પવાર કહી રહ્યાં છે કે તેઓ ભાજપની સાથે નથી તો અજિત પવાર કહી રહ્યાં છે કે તેઓ એનસીપીમાં છે અને ભાજપની સાથે એક મજબૂત સરકાર મહારાષ્ટ્રમાં બનાવશે. આ બાજુ શરદ પવારે જાહેરાત કરી દીધી કે ભાજપની સાથે સરકાર બનાવવાનો કોઈ સવાલ જ ઉઠતો નથી. Web Stories View […]

ભાજપે ઓપરેશન લોટસની કરી શરુઆત, શું બચાવી શકશે મહારાષ્ટ્રમાં સરકાર?

Follow us on

મહારાષ્ટ્રની રાજનીતિમાં વળાંક આવી જ રહ્યાં છે. શરદ પવાર કહી રહ્યાં છે કે તેઓ ભાજપની સાથે નથી તો અજિત પવાર કહી રહ્યાં છે કે તેઓ એનસીપીમાં છે અને ભાજપની સાથે એક મજબૂત સરકાર મહારાષ્ટ્રમાં બનાવશે. આ બાજુ શરદ પવારે જાહેરાત કરી દીધી કે ભાજપની સાથે સરકાર બનાવવાનો કોઈ સવાલ જ ઉઠતો નથી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   27 નવેમ્બરના રોજ ઈસરો ફરીથી રચશે અંતરિક્ષમાં ઈતિહાસ, જાણો મિશન વિશે

ભાજપે સરકાર તો અજિત પવારને સાથે લઈને બનાવી લીધી પણ વિધાનસભામાં બહુમત સાબિત કરવો તે સમસ્યા સૌથી મોટી છે. સુત્રો દ્વારા એવી જાણકારી મળી છે કે ભાજપે ઓપરેશન લોટસ શરુ કરી દીધું છે. જેનો ઉદેશ્ય બહુમતિ સાબિત કરતી વખતે બધું પાર પાડીને સત્તામાં ટકી રહેવું એ રહેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ભાજપને બહુમત આપવા માટે કોણ ભાજપ તરફી મતદાન કરશે તેના 2  લિસ્ટ બનાવામાં આવ્યા છે. જેમાં એક લિસ્ટમાં ભાજપ, અજિત પવાર સમર્થક એનસીપી, અપક્ષ અને નાની પાર્ટીઓના ધારાસભ્યના નામ લખવામાં આવ્યા છે. આ સિવાય જે બીજું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે તેમાં એવા સંભવિત ધારાસભ્યોના નામ છે જે ભાજપને વોટ આપી શકે છે.

ઓપરેશન લોટસ માટે ચાર લોકોની કમિટિ બનાવવામાં આવી છે. જેમાં રાધાકૃષ્ણ વિખે પાટિલ, નારાયણ રાણે, ગણેશ નાયક અને બબન રાવ પાંચપુતેનો સમાવેશ થાય છે. રાધાકૃષ્ણ કોંગ્રેસમાં જ હતા અને તેઓ સારા સંબંધો તમામ નેતાઓની સાથે ધરાવે છે. આમ ભાજપે સત્તા બચાવવાની તૈયારી કરી લીધી છે તો આ બાજુ એનસીપી પણ લડી લેવા માટે તૈયાર છે. શરદ પવારે ટ્વીટ કરીને કહી દીધું કે ભાજપ સાથે સરકાર બનાવવાનો કોઈ સવાલ જ નથી ઉઠતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ ચાર લોકોની કમિટિ ફ્લોર ટેસ્ટ સુધી કોઓર્ડિનેશન કરશે અને ભાજપ ફ્લોર ટેસ્ટમાં સફળ જાય તે માટે પ્રયાસો કરશે એવી જાણકારી મળી રહી છે. આ ચાર નેતાઓ અન્ય પાર્ટીઓમાં સારા સંબંધો ધરાવે છે અને તેના લીધે ભાજપને ફાયદો થઈ શકે તેમ છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:40 pm, Sun, 24 November 19

Next Article