સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતી શકે તેવા ઉમેદવારોને જ ટિકિટ અપાશે. આ નિવેદન કર્યું છે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કમલમ ખાતે યોજાયેલી ભાજપની ચિંતન શિબિરના અંતિમ દિવસે પેટાચૂંટણીમાં જીતના પરિબળો પર ચર્ચા કરવામાં આવી. જિલ્લા પ્રભારીઓ તથા ઉમેદવારો સાથે જીતના કારણો અંગે ચર્ચા કરવામાં આવી સાથે જ સરકાર અને સંગઠનના વિવિધ મુદ્દાઓને આવરી લેવાયા. જોકે સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે સી.આર.પાટીલે સ્પષ્ટતા કરી કે જે ઉમેદવાર જીતી શકે તેવા જ ઉમેદવારોને પાર્ટી ટિકિટ આપશે
ભાજપની ચિંતન શિબિરના અંતિમ દિવસે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ કરાયા જેમાં કૃષિ કાયદાને ખેડૂતો સુધી પહોંચાડવા માટે ભાજપ 8 સ્થળો પર પત્રકાર પરિષદ યોજશે તો 9 સ્થળોએ કિસાન સંમેલન યોજશે. 25મી ડિસેમ્બરે પૂર્વ વડાપ્રધાન અટલજીના જન્મ દિવસને અટલજી સંભારણા દિવસ તરીકે ઉજવશે. કોરોના મહામારીને ધ્યાને રાખીને ભાજપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાશે. મહત્વપૂર્ણ છે કે બેઠકમાં 31 જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે જિલ્લા ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો