દિલ્હીના રામલીલા મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધન્યવાદ અભિવાદન માટે એક રેલી યોજાઈ. આ રેલીમાં CAA પર દેશમાં સળગેલી આગને બુઝાવવા માટે પીએમ મોદીએ લોકોને જાગૃતિ આપવાનો પ્રયત્ન કર્યો. અને દેશભરમાં થયેલી હિંસા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસથી લઈને મમતા બેનરજી સુધી વિપક્ષી નેતાઓને આડેહાથ લીધા. અને લોકોને શાંતિ રાખવા અપીલ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકતા સંશોધન કાયદાને લઈને મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યુ કે વિરોધ કરવો હોય તો મોદીનું પુતળુ સળગાવો પરંતુ દેશની સંપત્તિને ન સળગાવો. નિર્દોષ પોલીસકર્મીઓ મારનો ભોગ બની રહ્યા છે. પોલીસ પર પથ્થર ફેંકનારાઓને મોદીએ સવાલ કરતા કહ્યુ કે પોલીસ પર હુમલાથી શું મળશે.
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, કેટલાક લોકો ભ્રમ ફેલાવી રહ્યા છે. કેટલાક લોકો દ્વારા સોશિયલ મીડિયા પર આગ લગાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ખોટો ભ્રમ ફેલાવીને સીએએ પર ખોટુ ઝુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. મોદીએ કહ્યું કે, દિલ્હીની સેંકડો કોલોનીઓ કાયદેસર કરવાનું કામ થયું ત્યારે કોઈ ધર્મ પૂછ્યો હતો. તેમણે કહ્યું કે, સરકાર સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ પર જ ચાલે છે. ક્યારેય કોઈને જાતિ કે ધર્મ પુછ્યો નથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
બીજી તરફ પીએમ મોદીએ લોકોને પડકાર પણ ફેક્યો. પીએમ મોદીએ કહ્યું કે, એક બિલમાં દિલ્હીના 40 લાખ લોકોને અધિકાર આપ્યો. આ લોકો જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે કે અમે અધિકાર છિનવાનો કાયદો બનાવ્યો. આ જુઠ્ઠાણું ચાલવાનું નથી. તેમને પડકાર આપું છું કે મારા દરેક કામની ચકાસણી કરો. ક્યાંય પણ દૂરદૂર સુધી ભેદભાવની ગંધ આવે તો દેશની સામે લાવીને રાખી દો.