મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન અઘાડી અને અસદ્દુદ્દીન ઓવૈસીની પાર્ટી એમઆઈએમ વચ્ચે ગઠબંધન તૂટી ગયું છે. શનિવારના રાજો એમઆઈએમના સાંસદ ઈમ્તિયાઝ જલીલે જણાવ્યું કે, ગઠબંધનને તોડવાનો નિર્ણય ઓવૈસીની સહમતિ પછી લેવામાં આવ્યો છે. કારણકે પ્રકાશ આંબેડકરની પાર્ટીને તેઓ ઓછી આંકી રહ્યા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચોઃ ઈમરાન હાશ્મીની મર્ડર-2માં વિલનનો રોલ નિભાવનારા પ્રશાંત નારાયણની ધરપકડ, આ છે સમગ્ર મામલો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આંબેડકર અને ઓવૈસીના અલગ થવાથી મહારાષ્ટ્રના રાજકારણના સમીકરણો બદલાશે તે નક્કી છે. શુક્રવારના રોજ સાંસદ ઈમ્તિયાઝ જલીલે પ્રેસનોટ જાહેર કરી ગઠબંધન તોડવાની ઘોષણા કરી હતી. જોકે સામે પક્ષે વંચિત બહુજન અઘાડીના નેતાઓએ કહ્યું કે જ્યાં સુધી આ અંગે અસદ્દુદ્દીન ઓવૈસી પોતે આ અંગે નિવેદન નહીં આપે ત્યાં સુધી તેઓ આ વાત માનવા તૈયાર નથી.