કેન્દ્રીય રેલવે મંત્રી અને ભાજપ નેતા પીયૂષ ગોયલે પંજાબના લુધિયાણામાં બિઝનેસ કમ્યુનિટીને સંબોધિત કરતા કહ્યું હતું કે હું મુંબઈથી છું, તમને 26/11ના આતંકવાદી હુમલાને યાદ કરી શકો છો. તત્કાલીન કોંગ્રેસ સરકાર નબળી હતી અને કઈ પણ કરી શકી નહી.
તે સમય ગોળીબાર અને બોમ્બમારો થઈ રહ્યો હતો પણ તે સમયના મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ ઓબેરોય હોટલની બાહર એક ફિલ્મ પ્રોડયૂસરને લઈ ગયા. તે તેમના પુત્રને ફિલ્મમાં રોલ અપાવવા માટે પરેશાન હતા.
— Riteish Deshmukh (@Riteishd) May 13, 2019
તેના જવાબમાં રિતેશ દેશમુખે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા ભાજપના નેતા પીયૂષ ગોયલને જવાબ આપ્યો છે. રિતેશ દેશમુખે જણાવ્યું કે માનનીય મંત્રીજી એ સાચું છે કે તાજ/ઓબેરોય હોટેલ ગયો હતો પણ એ સાચું નથી કે હું તે સમયે ત્યાં હતો, જ્યારે ગોળીબારી અને બોમ્બમારો થઈ રહ્યો હતો, જેવો તમે દાવો કર્યો છે.
આ પણ વાંચો: જાણો કયા 3 પરિબળોની લીધે 13 દિવસ સતત નીચે ગયુ બજાર
રિતેશે વધુમાં લખ્યું કે એ સાચું છે કે હું મારા પિતાની સાથે હતો પણ તે સાચું નથી કે તે મને ફિલ્મમાં રોલ અપાવવા માટે પ્રયત્નો કરી રહ્યાં હતા. તેમને ક્યારેય પણ કોઈ પણ ડાયરેકટર કે પ્રોડયૂસરને મને ફિલ્મમાં કાસ્ટ કરવા માટે વાત કરી નથી અને મને તે વાત પર ગર્વ છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]