ભારતમાં આ વર્ષે કેટલાં લોકોનો સમાવેશ મતદાતા તરીકે કરવામાં આવ્યો છે તેની માહિતી પણ ચૂંટણી પંચે પોતાની પત્રકાર પરિષદમાં આપી હતી. ભારતમાં આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં 90 કરોડ લોકોનો સમાવેશ મતદાતા તરીકે કરવામાં આવ્યો છે. TV9 Gujarati Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર અક્ષય […]
Follow us on
ભારતમાં આ વર્ષે કેટલાં લોકોનો સમાવેશ મતદાતા તરીકે કરવામાં આવ્યો છે તેની માહિતી પણ ચૂંટણી પંચે પોતાની પત્રકાર પરિષદમાં આપી હતી. ભારતમાં આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં 90 કરોડ લોકોનો સમાવેશ મતદાતા તરીકે કરવામાં આવ્યો છે.
ચૂંટણી પંચે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી કે દેશમાંથી 90 કરોડ લોકો આ વખતે મતદાન કરશે. આ કુલ સંખ્યામાં નોકરી કરનારા લોકોની સંખ્યા 1 કરોડ અને 60 લાખ છે. 1.5 કરોડ મતદારો 18થી 20 વર્ષની ઉંમરના છે. છેલ્લાં 5 વર્ષમાં નવા 7 કરોડ મતદારો ઉમેરાયા છે. 1951માં મતદારોની સંખ્યા 17 કરોડ જેટલી હતી. મતદાર કેન્દ્રોની સંખ્યા વર્ષ 2014માં 9 લાખ હતી જે આ વખતે 10 લાખ રહેશે એટલે કે લોકસભાની ચૂંટણીને લઈને આ વખતે મતદાન કેન્દ્રોની સંખ્યામાં 1 લાખ જેટલો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં મતદારોની સંખ્યા 4.47 કરોડ જેટલી છે. આમ ભારતના વિવિધ રાજકીયપક્ષોનું ભાવિ દેશના 90 કરોડ મતદારો નક્કી કરશે.