CAAના વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શન વચ્ચે 154 જેટલા પૂર્વ જજ અને અધિકારીઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખ્યો છે. પૂર્વ જજ અને અધિકારીઓએ CAA વિરુદ્ધ ચાલતા પ્રદર્શનના નામ પર હિંસા પર કાર્યવાહીની માગ કરી છે. આ 154 દિગ્ગજ પૂર્વ ન્યાયાધીશ, સિવિલ સેવાથી જોડાયેલા અધિકારી અને રક્ષા અધિકારીઓનો સમાવેશ થાય છે.
A delegation comprising retired bureaucrats and judges, former army officers, intelligentsia called on President Kovind at Rashtrapati Bhavan pic.twitter.com/2ddS8W7zfi
— President of India (@rashtrapatibhvn) January 24, 2020
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે લોકતાંત્રિક સંસ્થાની રક્ષા કરવાની અને ઉપદ્રવિયો વિરુદ્ધ કાર્યવાહીની આ અપીલ કરી છે. આ 154 દિગ્ગજ પ્રતિનિધિમંડળની આગેવાની પૂર્વ જજ અને CATના પૂર્વ ચેરમેન પ્રમોદ કોહલી કરી રહ્યા છે. પ્રમોદ કોહલીએ આક્ષેપ કર્યા કે, CAA વિરુદ્ધ પ્રદર્શનને રાજનીતિક તત્વો હિંસા માટે ઉકસાવી રહ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો