Bank Account Rules: ઝીરો બેલેન્સ હોવા છતાં પણ મળશે ‘2 લાખનો વીમો’ અને ₹10,000 ઉપાડવાની સુવિધા

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે, ઝીરો બેલેન્સ હોવા છતાં પણ તમે તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો? વાત એમ છે કે, હવે તમે કટોકટીની સ્થિતિમાં બેંક ખાતામાંથી ફંડ આરામથી ઉપાડી શકો છો.

| Updated on: Nov 28, 2025 | 5:22 PM
1 / 5
'Pradhan Mantri Jan Dhan Yojana' હેઠળ તમે ઝીરો બેલેન્સ બેંક એકાઉન્ટમાંથી પણ 10,000 રૂપિયા ઉપાડી શકો છો. આ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સની કોઈ આવશ્યકતા હોતી નથી અને એમાંય RuPay ડેબિટ કાર્ડ પર 2 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો પણ ઉપલબ્ધ છે.

'Pradhan Mantri Jan Dhan Yojana' હેઠળ તમે ઝીરો બેલેન્સ બેંક એકાઉન્ટમાંથી પણ 10,000 રૂપિયા ઉપાડી શકો છો. આ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સની કોઈ આવશ્યકતા હોતી નથી અને એમાંય RuPay ડેબિટ કાર્ડ પર 2 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો પણ ઉપલબ્ધ છે.

2 / 5
PM Jan Dhan Yojana હેઠળ ખોલવામાં આવેલા બધા બેંક એકાઉન્ટ ઝીરો બેલેન્સના હોય છે. આથી, આ બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ (BSBDA) માં મિનિમમ બેલેન્સની કોઈ આવશ્યકતા નથી. ગ્રાહકો તેમના ઝીરો બેલેન્સ એકાઉન્ટમાંથી ₹10,000 સુધીના ઓવરડ્રાફ્ટનો પણ લાભ લઈ શકે છે. વધુમાં કટોકટીની સ્થિતિમાં બેંક ખાતામાંથી ફંડ ઉપાડી શકાય છે. આ સિવાય બેંક એકાઉન્ટના RuPay ડેબિટ કાર્ડ પર ₹2 લાખ સુધીનો અકસ્માત વીમો પણ ઉપલબ્ધ છે.

PM Jan Dhan Yojana હેઠળ ખોલવામાં આવેલા બધા બેંક એકાઉન્ટ ઝીરો બેલેન્સના હોય છે. આથી, આ બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ (BSBDA) માં મિનિમમ બેલેન્સની કોઈ આવશ્યકતા નથી. ગ્રાહકો તેમના ઝીરો બેલેન્સ એકાઉન્ટમાંથી ₹10,000 સુધીના ઓવરડ્રાફ્ટનો પણ લાભ લઈ શકે છે. વધુમાં કટોકટીની સ્થિતિમાં બેંક ખાતામાંથી ફંડ ઉપાડી શકાય છે. આ સિવાય બેંક એકાઉન્ટના RuPay ડેબિટ કાર્ડ પર ₹2 લાખ સુધીનો અકસ્માત વીમો પણ ઉપલબ્ધ છે.

3 / 5
ઓવરડ્રાફ્ટનો અર્થ એ છે કે, જો તમારા બેંક ખાતામાં પૈસા ન હોય અથવા બેલેન્સ ઝીરો હોય, તો પણ તમે બેંકમાંથી કેટલાક પૈસા ઉપાડી શકો છો. સરળ શબ્દોમાં, બેંક તમને થોડા સમય માટે પૈસા "ઉધાર" આપે છે. જો કે, પાછળથી જ્યારે પૈસા તમારા ખાતામાં આવે છે, ત્યારે તે રકમ બેંકમાં પરત કરવાની રહેશે. ધ્યાન રાખો કે, આના પર થોડું વ્યાજ વસૂલવામાં આવે છે પરંતુ ફાયદો એ છે કે, ખાતું ખાલી હોય તો પણ કટોકટીની સ્થિતિમાં તમને તાત્કાલિક રોકડ મળી આવે છે.

ઓવરડ્રાફ્ટનો અર્થ એ છે કે, જો તમારા બેંક ખાતામાં પૈસા ન હોય અથવા બેલેન્સ ઝીરો હોય, તો પણ તમે બેંકમાંથી કેટલાક પૈસા ઉપાડી શકો છો. સરળ શબ્દોમાં, બેંક તમને થોડા સમય માટે પૈસા "ઉધાર" આપે છે. જો કે, પાછળથી જ્યારે પૈસા તમારા ખાતામાં આવે છે, ત્યારે તે રકમ બેંકમાં પરત કરવાની રહેશે. ધ્યાન રાખો કે, આના પર થોડું વ્યાજ વસૂલવામાં આવે છે પરંતુ ફાયદો એ છે કે, ખાતું ખાલી હોય તો પણ કટોકટીની સ્થિતિમાં તમને તાત્કાલિક રોકડ મળી આવે છે.

4 / 5
ફાયદાની વાત કરીએ તો, બેલેન્સ ઝીરો હોય તો પણ કટોકટી ઉપાડ શક્ય છે. બીજું કે, આમાં કોઈ નિશ્ચિત EMI નથી અને લોન પ્રોસેસ લાંબી હોતી નથી. આ સિવાય તાત્કાલિક ઍક્સેસ મળી રહે છે. અણધાર્યા ખર્ચ અથવા કટોકટીના કિસ્સામાં આ વિકલ્પ મદદરૂપ બને છે. બેંક સારા ગ્રાહકોને સરળતાથી ઍક્સેસ પ્રદાન કરે છે.

ફાયદાની વાત કરીએ તો, બેલેન્સ ઝીરો હોય તો પણ કટોકટી ઉપાડ શક્ય છે. બીજું કે, આમાં કોઈ નિશ્ચિત EMI નથી અને લોન પ્રોસેસ લાંબી હોતી નથી. આ સિવાય તાત્કાલિક ઍક્સેસ મળી રહે છે. અણધાર્યા ખર્ચ અથવા કટોકટીના કિસ્સામાં આ વિકલ્પ મદદરૂપ બને છે. બેંક સારા ગ્રાહકોને સરળતાથી ઍક્સેસ પ્રદાન કરે છે.

5 / 5
હવે ગેરફાયદાની વાત કરીએ તો, ઓવરડ્રાફ્ટ સામાન્ય સેવિંગ એકાઉન્ટ કરતાં વધુ વ્યાજ દર આકર્ષે છે. આનો વારંવાર ઉપયોગ કરવાથી ખાતામાં બેલેન્સ નેગેટિવ થઈ શકે છે. બેંક ફક્ત ચોક્કસ મર્યાદા સુધી ઓવરડ્રાફ્ટની મંજૂરી આપે છે. સમયસર પેમેન્ટ કરવામાં નિષ્ફળતા ક્રેડિટ હિસ્ટરીને નુકસાન પહોંચાડી શકે છે. નોંધનીય છે કે, આમાં બેંકો અલગ-અલગ ચાર્જ અને શરતો લાગુ કરી શકે છે.

હવે ગેરફાયદાની વાત કરીએ તો, ઓવરડ્રાફ્ટ સામાન્ય સેવિંગ એકાઉન્ટ કરતાં વધુ વ્યાજ દર આકર્ષે છે. આનો વારંવાર ઉપયોગ કરવાથી ખાતામાં બેલેન્સ નેગેટિવ થઈ શકે છે. બેંક ફક્ત ચોક્કસ મર્યાદા સુધી ઓવરડ્રાફ્ટની મંજૂરી આપે છે. સમયસર પેમેન્ટ કરવામાં નિષ્ફળતા ક્રેડિટ હિસ્ટરીને નુકસાન પહોંચાડી શકે છે. નોંધનીય છે કે, આમાં બેંકો અલગ-અલગ ચાર્જ અને શરતો લાગુ કરી શકે છે.