
ધ્યાન અને યોગ તણાવ ઓછો કરે છે અને મનને શાંત કરે છે. રોજ સવારે કે સાંજે 10-15 મિનિટ ધ્યાન કરો. યોગમાં "પ્રાણાયામ", "શવાસન", "અનુલોમ વિલોમ" જેવા આસન કરો. ( Credits: Getty Images )

ડોપામિન, સેરોટોનિન અને એન્ડોર્ફિન્સ જેવા “હેપિ હોર્મોન્સ” વધે છે. ઊંઘ સારી થાય છે અને મનહાલ સુધરે છે. રોજે 30 મિનિટ વોકિંગ, સાયકલિંગ, કરો. ( Credits: Getty Images )

પોતાનું ડેઇલી રૂટિન બનાવો, સમયસર ઊઠવું, કામ, આરામ અને મજા બધાનું સંતુલન રાખો. ઑવરટાઈમથી બચો અને નિયમિત આરામ લો. દિવસમાં થોડો સમય મોબાઈલ, સોશિયલ મીડિયા અને ન્યૂઝથી દૂર રહો. નેગેટિવ માહિતી મગજ પર બોજ પાડે છે. (Credits: - Canva)

તણાવથી દૂર રહેવા રોજ મિત્રો કે પરિવારજનો સાથે વાત કરો, પોતાનું મન ખુલ્લું રાખવાથી તણાવ ઘટે છે. ભાવનાઓ છુપાવવી નહિ. (Credits: - Canva)

જ્યારે તમે સતત તમારી સરખામણી બીજાઓ સાથે કરતા રહો છો, ત્યારે તમારું મન શાંતિ ગુમાવી દે છે. આવી તુલના તમારા અંદર તણાવ, અસંતુષ્ટિ અને નિરાશાની ભાવનાઓ ઉભી કરે છે. તણાવ મુક્ત જીવન જીવવું હોય તો બીજા સાથેની સરખામણી છોડવી જરૂરી છે.(Credits: - Canva)

તણાવથી દૂર રહેવા માટે રોજ પોતાનાં વિચારો લખવાનું રાખો, શું વિચાર આવ્યા, શું ભાવનાઓ અનુભવાઈ. લખવાથી મન હળવું થાય છે. અથવા ગીત સાંભળો, ચિત્ર દોરો, ગાર્ડનિંગ કરો કે કોઈ નવો (Credits: - Canva)

દરરોજ 7 થી 8 કલાકની સારી ઊંઘ લો. ઊંઘનો અભાવ કોર્ટિસોલ વધારે છે. ઊંઘ પૂરતી નહીં હોય તો તણાવ વધે છે. (Credits: - Canva)

જો તણાવ બહુ વધારે હોય અને ઉપાયો છતાં રાહત ન મળે, તો માનસિક તજજ્ઞ (સાઈકોલોજિસ્ટ/સાયકિયાટ્રિસ્ટ) ની મદદ લો. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) (Credits: - Canva)