લાકડાના વાસણો સાફ કરવામાં પડે છે મુશ્કેલી, આ 5 દેશી હેક્સથી સેકન્ડોમાં દૂર થશે ડાઘ, ગંદકી અને દુર્ગંધ!

રસોડામાં લાકડાના વાસણો, જેમ કે લાકડાની ચમચી, વાટકી અને ચોપિંગ બોર્ડ પર સરળતાથી ગંદકી જમા થઈ જાય છે. આ વાસણોને સાફ કરવું મુશ્કેલ કાર્ય છે. લાકડાના વાસણો કેવી રીતે સાફ કરવા તે અંગેની આ ટિપ્સને ફોલો કરો.

| Updated on: Aug 11, 2026 | 11:03 AM
1 / 6
સૌપ્રથમ લાકડાના વાસણો પરની ગંદકી દૂર કરવા માટે તેને ગરમ પાણી અને સાબુથી સારી રીતે ધોઈ લો. ત્યારબાદ વાસણ પર મીઠું નાખો અને તેના પર અડધું લીંબુ ઘસો. મીઠું ઓગળી જાય ત્યાં સુધી લીંબુ ઘસતા રહો. ત્યારબાદ વાસણને ઠંડા પાણીથી ધોઈને સારી રીતે સૂકવવા મૂકી દો. (Image Source | iStock)

સૌપ્રથમ લાકડાના વાસણો પરની ગંદકી દૂર કરવા માટે તેને ગરમ પાણી અને સાબુથી સારી રીતે ધોઈ લો. ત્યારબાદ વાસણ પર મીઠું નાખો અને તેના પર અડધું લીંબુ ઘસો. મીઠું ઓગળી જાય ત્યાં સુધી લીંબુ ઘસતા રહો. ત્યારબાદ વાસણને ઠંડા પાણીથી ધોઈને સારી રીતે સૂકવવા મૂકી દો. (Image Source | iStock)

2 / 6
લાકડાના વાસણોમાંથી ગંદકી, દુર્ગંધ અને ડાઘ દૂર કરવા માટે વાસણને ગરમ પાણીમાં બોળીને તેમાં લીંબુનો રસ નિચોવો. તમે લીંબુનો રસ સીધો વાસણ પર પણ લગાવી શકો છો અને 5થી 10 મિનિટ બાદ તેને ધોઈ લો. (Image Source | iStock)

લાકડાના વાસણોમાંથી ગંદકી, દુર્ગંધ અને ડાઘ દૂર કરવા માટે વાસણને ગરમ પાણીમાં બોળીને તેમાં લીંબુનો રસ નિચોવો. તમે લીંબુનો રસ સીધો વાસણ પર પણ લગાવી શકો છો અને 5થી 10 મિનિટ બાદ તેને ધોઈ લો. (Image Source | iStock)

3 / 6
જો લીંબુથી ડાઘ દૂર ન થાય તો બેકિંગ સોડાની મદદ લઈ શકાય છે. ડાઘવાળી જગ્યા પર બેકિંગ સોડા નાખો. તેના પર લીંબુનો રસ નિચોવો. આ જગ્યા સાફ કરવા માટે સારા કપડાનો ઉપયોગ કરો. ત્યારબાદ વાસણને ધોઈને સૂકવવા માટે મૂકી દો. (Image Source | iStock)

જો લીંબુથી ડાઘ દૂર ન થાય તો બેકિંગ સોડાની મદદ લઈ શકાય છે. ડાઘવાળી જગ્યા પર બેકિંગ સોડા નાખો. તેના પર લીંબુનો રસ નિચોવો. આ જગ્યા સાફ કરવા માટે સારા કપડાનો ઉપયોગ કરો. ત્યારબાદ વાસણને ધોઈને સૂકવવા માટે મૂકી દો. (Image Source | iStock)

4 / 6
વાસણો પરથી ડાઘ દૂર કરવા માટે લાકડાના વાસણોને પાણી અને સફેદ વિનેગરના સમાન પ્રમાણના દ્રાવણમાં આખી રાત પલાળી રાખી શકાય છે. તેનાથી વાસણોમાંથી આવતી દુર્ગંધ, ગંદકી અને ડાઘ દૂર થઈ શકે છે અને તે સારા રહેશે. (Image Source | iStock)

વાસણો પરથી ડાઘ દૂર કરવા માટે લાકડાના વાસણોને પાણી અને સફેદ વિનેગરના સમાન પ્રમાણના દ્રાવણમાં આખી રાત પલાળી રાખી શકાય છે. તેનાથી વાસણોમાંથી આવતી દુર્ગંધ, ગંદકી અને ડાઘ દૂર થઈ શકે છે અને તે સારા રહેશે. (Image Source | iStock)

5 / 6
લાકડાના વાસણોમાંથી ગંદકી, દુર્ગંધ અને ડાઘ દૂર કરવા માટે જો ઉપરના તમામ ઉપાયો કામ ન આવે તો ડાઘ દૂર કરવા માટે સૅન્ડપેપરનો ઉપયોગ કરી શકાય છે. સૅન્ડપેપરથી વાસણને ઘસવાથી તેની ઉપરનું પડ દૂર થાય છે અને બાકી રહેલા ડાઘ કાઢવામાં મદદ મળી શકે છે. આ ઉપરાંત સૅન્ડપેપર લાકડાના વાસણોને વધુ સ્મૂથ અને ગ્લૉસી ફિનિશ આપવામાં પણ મદદ કરી શકે છે. (Image Source | iStock)

લાકડાના વાસણોમાંથી ગંદકી, દુર્ગંધ અને ડાઘ દૂર કરવા માટે જો ઉપરના તમામ ઉપાયો કામ ન આવે તો ડાઘ દૂર કરવા માટે સૅન્ડપેપરનો ઉપયોગ કરી શકાય છે. સૅન્ડપેપરથી વાસણને ઘસવાથી તેની ઉપરનું પડ દૂર થાય છે અને બાકી રહેલા ડાઘ કાઢવામાં મદદ મળી શકે છે. આ ઉપરાંત સૅન્ડપેપર લાકડાના વાસણોને વધુ સ્મૂથ અને ગ્લૉસી ફિનિશ આપવામાં પણ મદદ કરી શકે છે. (Image Source | iStock)

6 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

Follow Us
Loading...
Unable to load recommendations.